________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૮) કેવળજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયોગ વિચારે છે અને ભાવના કરે છે કે, એવું નિમિત્ત મળો કે ગજસુકુમારની જેમ શીધ્ર મોક્ષસ્વભાવ અને પ્રગટ થાય. એ રુચિના રસિયા પૂર્ણ વીતરાગસ્વરૂપની ભાવના ભાવે છે. સંસારના રસિયા (સંસારની સચિવાળા) મોહી જીવો ઊંધા મનોરથ ભાવે છે કે મને ખૂબ ધન, ઘર, લાડી, વાડી મળો. હું ધનવૈભવ, પુત્રાદિમાં ખૂબ વધું, અને મારી લીલી વાડી મૂકીને મરું. તેથી વિરુદ્ધ જ્ઞાની ધર્માત્મા એમ ભાવના ભાવે છે કે હું બેહદ અતિશય શુદ્ધ સ્વભાવમાં ઠરતો, પુરુષાર્થ ઊછાળતો બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ કરું. મુનિ જંગલમાં આત્મસ્વરૂપના ધ્યાન- વિચારમાં બેઠા હોય અને ફડાક છલંગ મારીને સિંહ ગળું પકડે. તે જ વખતે ચૈતન્યનો અતીન્દ્રિય બેહુદ પુરુષાર્થ, કેવળજ્ઞાન ઉપર મીટ માંડીને ઊપડે છે. સિંહના મોઢામાં ચૈતન્ય કેમ પકડાય? ચૈતન્ય તો જે થાય તેને જાણે. સિહે પકડ્યું ગળું ત્યારે જ્ઞાનીએ પકડી અડોલ સ્થિરતા.” ક્ષણ કશ્રેણિ માંડીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરું, એ ભાવના સંસારી વેષમાં શ્રીમદ્દ ભાવી ગયા. એ જાતનો અપૂર્વ ભાવ તો કોઈ લાવો ! | ૧૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com