________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭).
આવે નહિ. દેહાદિમાં આસક્તિ અને પરથી સુખબુદ્ધિવાળા, વિષય કષાયથી ભરેલા, સંસારની સચિવાળા જીવોને મોક્ષની રુચિ કયાંથી થાય? રાગદ્વેષ તથા દેહાદિથી સર્વથા મુકાવું તેનું નામ મોક્ષ છે. તો ત્યાગ-વૈરાગ્યની ભાવના વિના તથા દેહાદિ પ્રત્યે મમતાનો કે આસક્તિનો ઘટાડો જેને નથી તેને આખો આત્મા જોઈએ તે કેમ મળે ? પાત્રતા કોને કહેવાય તેનું જેને ભાન ન હોય અને શરીરની સગવડતા રાખવાની જેને મમતા વર્તે છે તેને રાગરહિત અતીન્દ્રિય આત્માની શ્રદ્ધા કેમ થાય? માટે દેહની મમતા પ્રથમ ઘટાડવી જોઈએ.
- શ્રીમદ્ આ ગાથામાં શરીર જતું કરવાની ભાવના કરી છે, અને તેથી કહ્યું છે કે સિંહનો સંયોગ થાય તો માનું કે, “પરમ મિત્રનો પામ્યા જાણે યોગ જો.” મારે શરીર રાખવાની ઈચ્છા નથી અને સિંહુ ને જરૂર છે. માટે શરીર જોઈતું નથી એવું રહસ્ય તું (સિંહ) કયાંથી સમજી ગયો? એમ ગણી આ દેહનો નાશ (મડદાંની ઉપાધિનો નાશ) કરનારા સિંહ! તું જ મારો ઉપકારી છે. એમ અશરીરી ભાવની ભાવના સંસારી વેશમાં બેઠા ભાવે છે. કેવળદર્શન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com