________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૬) ન થવો તે ઉદયાધીન છે, પણ આવા અશરીરી ભાવની હું તો લાવો! પુરુષાર્થ કરવો તે ઉદયાધીન નથી, પણ સ્વાધીન છે. આવી ઉત્કૃષ્ટ ભાવનાનો ઉત્સાહ ધર્માત્માને આવે જ.
સંસારી લોકોને બાહ્ય ઉપાધિરૂપ સંયોગના વૈભવની હોંશ (ઉત્સાહ) બહુ આવે છે કે, આમ હવેલી (બંગલો) હોય, આમ ટેબલ, ખુરશી, ગાદી, તકિયા, પંખા વગેરે હોય, તેમાં બેઉ મોહથી ઘેલાં થઈને હરખ સેવતા હોઈએ, એવી ઊંધી ભાવના તેઓ ભાવતા હોય છે, કેમ કે તેમને સંસારનો પારાવાર પ્રેમ-તૃષ્ણા હોય છે. પર વસ્તુમાં સુખબુદ્ધિ અને રાગી-દ્વેષપણું કરવામાં જે સંતોષ માનતા હોય તેને રાગરહિત પવિત્ર આત્માની રુચિ, શ્રદ્ધા કયાંથી હોય ?
એક ભાઈ શ્રીમદ્ પાસે ગયા. તે સામે ગાદી ઉપર ઢળી પડયા, અને બીડી પીતાં-પીતાં પૂછયું, “ મોક્ષ કેમ મળે? તમે જ્ઞાની છો માટે કહો.” તેને ઉત્તર મળ્યો કે “એમને એમ” તેમાં બે ભાવ આવ્યા કે તમે જેવા છો તેવા થઈ જાઓ (ઠરી જાઓ). વળી તેમાં ઠપકો પણ આવી ગયો કે તત્ત્વની રુચિ વિના જ્ઞાની પ્રત્યે પ્રેમ, વિનય કે બહુમાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com