________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫) આ કાવ્ય લખ્યું તે વખતે મુંબઈમાં તેમને ઝવેરાતનો વેપાર આદિ બાહ્ય વ્યવસાય દેખાતો હતો. છતાં સર્વ પરિગ્રહથી નિવૃત્ત થવાની અને ઉત્કૃષ્ટ સાધકદશાની ભાવના ભાવતા હતા. આ કાવ્યના એકેએક શબ્દની પાછળ ગંભીર ભાવાર્થ છે. તેઓ મહા વૈરાગ્યવંત હતા, અને પુરુષાર્થ વડે મોક્ષસ્વભાવદશા પ્રગટ કરું એવી ભાવના સહિત અંશે સ્વરૂપની સ્થિરતાની સાવધાની રાખીને મુનિપણાની ભાવના તેઓ અહીં ભાવે છે અને તેથી કહે છે કે, આ શરીરની સ્થિતિ પૂરી થવાની જ છે, તેમાં નિમિત્ત થનાર વાઘ-સિંહનો સંયોગ મિત્ર સમાન છે. લોકો સંસાર-પ્રવૃત્તિથી અમુક વખત નિવૃત્તિ લઈને સત્સમાગમ, સન્શાસ્ત્રનું વાંચન, મનન અને શ્રવણની રુચિ ન કરે તો તેમને આ જાતની ભાવનાનો અંશ પણ કયાંથી આવે?
શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થ વેષમાં હોવા છતાં વીતરાગી મુનિપણાની દશા મને પ્રાપ્ત થાઓ એવી ભાવના ભાવતા હતા. હું જંગલમાં ધ્યાનમાં બેઠો હોઉં અને હરણો મને (શરીરને) લાકડાના ટૂંઠા જેવો જાણીને આ દેહ સાથે તેના દેહને ખણે એવી સ્થિરતા કયારે આવશે? બાહ્ય યોગ થવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com