________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) જ્યાં સિંહ, વાઘ વસતા હોય ત્યાં બાહ્ય-અભ્યતર અસંગ એકત્વદશા સાધે છે, અને ધ્યાનમાં ઠરીને સ્વરૂપ-મસ્તીમાં, સહજ આનંદની રમણતામાં રહે છે. જેમ સ્વચ્છ જળથી ભરેલું સરોવર પવન ન હોય ત્યારે, સ્થિર દેખાય છે અને પૂર્ણ ચંદ્રના બિંબથી ઉજ્જવલ દેખાય છે, તેમ મુનિરાજ શાંત, ધીર ગંભીર, ઉજ્જવલ સમાધિમાં મસ્ત રહી, જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લેશે એવા બેહુદ પૂર્ણ સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થાય છે, તેમાં કદી વાઘ કે સિંહું ભૂખથી ત્રાડ નાખતો આવે તોપણ એમ જાણે કે પરમ મિત્રનો યોગ મળ્યો; કારણ કે જેને શરીર જોઈતું નથી તેવા પુરુષને શરીર કોઈ લઈ જાય તો લઈ જનાર તેનો મિત્ર છે. દેહથી મારાં દર્શન, જ્ઞાન, ચારિત્રને લાભ કે હાનિ નથી. સમયસારમાં કહ્યું છે કે, આ દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, કોઈ લઈ જાઓ, નષ્ટ થઈ જાઓ કે ગમે તે રીતે જાઓ, પણ દેહુ મારો નથી. દેહ પ્રત્યે અણુમાત્ર જેને મમત્વ નથી, એવી અશરીરી ભાવનામાં વર્તનારા ધર્માત્માના ભાવ કેવા ઉત્કૃષ્ટ હોય છે તે જુઓ તો ખરા ! આ વખતે શ્રીમદ્ ઝવેરાતના ધંધામાં બેઠા હતા કે આત્મામાં?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com