________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૭)
કરીને તે જાય છે. દેહનું ગમે તે થાવ તેનું લક્ષ તેની સંભાળ કોણ રાખી શકે? આયુષ્યની સ્થિતિ પૂર્ણ થયે જે ક્ષેત્રે, જે કાળે, જેવી રીતે દેહનું છૂટવું નિર્માણ થયેલ છે તેવી રીતે જ થાય છે, એક સમયમાત્રનો પણ ફેર પડે નહીં. કોઈ કહે કે સાત પ્રકારે આયુષ્ય તૂટે છે પણ તેમ ન સમજવું. આયુષ્યની સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે તે સાત પ્રકારમાંથી કોઈ એક નિમિત્ત હોય છે એવો નિયમ ત્યાં જણાવ્યો છે પણ તેથી કોઈના આયુષ્યમાં વધઘટ કોઈ કરી શકે નહીં.
પ્રશ્ન:- તો પછી કોઈને મારવાનું પાપ લાગશે નહિ, કારણ કે જીવાડવું કે મારવું કોઈના હાથની વાત નથી?
ઉત્તર:- હા, સાચી વાત છે. કોઈ કોઈને મારવા કે જીવાડવાની ક્રિયા ન કરી શકે પણ જે વખતે એવું નિમિત્ત થવાનું હોય તે વખતે મારવા-જીવાડવાનો ભલો–ભૂંડો ભાવ જીવ કરી શકે. જીવ કાં તો જ્ઞાન કરે અથવા અજ્ઞાન કરે અથવા પુણ્ય પાપના પરિણામ કરે. જીવાડવાનો રાગ અજ્ઞાનપૂર્વક પુણ્યભાવ છે, અને મારવાનો ભાવ તે પાપભાવ છે. હું પરનું કાંઈ કરી શકું એવો ઊંધો ભાવ તે અજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com