________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૬) ભાવના છે.
દેહનું આયુષ્ય લાંબું હોય કે તેનો શીઘ્ર અંત આવવાનો હોય તે બન્ને સરખું છે; જીવન અને મૃત્યુ એ પુદ્ગલનાં અનંત રજકણોની અવસ્થા છે, તેનું મળવું, ગળવું, ટળવું તે પુદ્ગલને આધીન છે, તેને આત્મા ટકાવી શકે નહીં. ધર્માત્મા આ દેહ છૂટવા ટાણે અપૂર્વ પુરુષાર્થથી સમાધિમરણે શાંતિ લઈ જાય છે. જગતમાં જેમ શ્વાન, બોકડા, અળસિ આદિ જંતુ મરે છે અને તેનું જીવન વૃથા જાય છે, તેમ ધર્મહીન મનુષ્યો જે જે મરે છે તેનું જીવન વૃથા જાય છે. કોઈ પુણ્યમાં કદી મોટો હોય છતાં પરમાર્થમાં તેની કાંઈ કિંમત નથી. પણ જેને યથાર્થ સ્વરૂપની પ્રતીતિ છે, માત્ર મોક્ષ-અભિલાષા જેને વર્તે છે અને સ્વરૂપના ભાનની જેને કિંમત છે તે સ્વરૂપની સાવધાનીથી જાગતું (સફળ) જીવન જીવે છે. જ્ઞાની ધર્માત્મા અકષાયસ્વરૂપમાં ઉલ્લાસવંત થયો થકો આયુષ્ય પૂર્ણ થતી વખતે અપૂર્વ સમાધિમરણનો ઉત્સાહ લાવે છે. દેહાયુષનો અંત દેખીને અપૂર્વ ભાવનાનો ધોધ તેને ઉછળે છે; બેહદ શ્રદ્ધાનો પુરુષાર્થ સ્વરૂપની એકાગ્રતામાં વર્તે છે. ભવનો અભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com