________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૯૨ )
ક્ષય કરવા માટે હજી એક દેહ બાકી છે, એમ અંદરમાં સાક્ષી લાવીને પુરુષાર્થ સહિત તેઓએ કહ્યું છે. કોઈ આવી અપૂર્વતાના સંદેશા લાવો તો ખરા! અહો ! ગૃહસ્થ વેશમાં બેઠા પણ કેવળજ્ઞાનના ભણકાર અંતરંગમાં પોતાની સાક્ષી વડે આવે છે! કોઈને પૂછવા જવું ન પડે. લોકો પક્ષપાત છોડી મધ્યસ્થપણે ન્યાયથી વિચારે તો જ જ્ઞાની ધર્માત્માનું હૃદય જાણી શકાય.
‘ધન્ય રે દિવસ આ અહો! જાગી રે શાંતિ અપૂર્વ રે.’
આ વાણી આત્માને સ્પર્શીને આવી છે, એ ભાવનાના નિમિત્તે સાચા અભિપ્રાયનું ઘોલન અને પુરુષાર્થ વધારે છે.
નિગ્રંથ મુનિદશામાં અદંત-ધોવન, અસ્નાનતા, દિગંબર દેહ, વીતરાગતા આદિ પરમ પ્રસિદ્ધ છે. પોતાના બેહદ જ્ઞાનસ્વરૂપમાં ઉત્કૃષ્ટ વીર્યનો જેને બેહદ વિશ્વાસ છે, તેનું જીવન કુદરતી સહજ હોય છે; દાંત બગડે નહીં, દુર્ગંધ થાય નહિ, શરીરની પ્રકૃતિ પણ અનુકૂળ જ હોય. એવા મહા બ્રહ્મચારીનાં શરીર નીવડ છે અને જંગલમાં ઘણોકાળ રહેનારા હોય છે. વસ્ત્રનો કટકો પણ રાખે નહીં, એવી ઉત્કૃષ્ટ સાધકદશાની ભૂમિકામાં ‘અદંત ધોવન આદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com