________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૨ )
સમ્યગ્દર્શનરૂપ ચોથા ગુણસ્થાનકથી મંગળિક કરે છે. આત્મસ્વરૂપની જાગૃતિ વધારવા માટે લખાયેલ છે. એવો અપૂર્વ સંયમ (મુનિદશા) પ્રગટો કે જે ભાવે કેવળજ્ઞાન પ્રગટે.
અપૂર્વ અવસર એવો કયારે આવશે?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ?
અપૂર્વના ૧ાા
ગૃહસ્થ ધર્મમાં રહેલા ધર્માત્માઓને ત્રણ પ્રકારના મનોરથ (ભાવના), આત્માની પ્રતીત સહિત પૂર્ણતાના લક્ષ, ભાવવાનું શાસ્ત્રો કહે છે. (૧) હું સર્વ સંબંધ અવસ્થાથી નિવતું. (૨) સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય-કષાયરૂપ અત્યંતર પરિગ્રહનો અધિક પુરુષાર્થવડે ત્યાગ કરીને નિગ્રંથ મુનિ થાઉં. (૩) હું અપૂર્વ સમાધિમરણ પ્રાપ્ત કરું. ત્યારે સંસારી મોહી જીવો એમ મનોરથ (ભાવના) ભાવે છે કે હું ગૃહસ્થ કુટુંબમાં ખૂબ વધું, ધન, ઘર, છોકરામાં ખૂબ વધુ અને લીલી વાડી મૂકીને મરું; એમ ઊંધાઈની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com