________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૫, રવિ ૨૧-૧૨-૫૨
પ્ર. - ૧૫
જેમ રાજાએ દારૂ પીધેલો તેથી નિંધા-સ્થાનમાં રતિ માનતો, તેમ મિથ્યાત્વનો દારૂ પીધેલ આત્મા દેહમાં ને પુણ્ય-પાપમાં રતિ માને છે. વળી જેમ રાજાને મદ ઊતરે ત્યારે રાજપદનું જ્ઞાન થાય કે હું તો રાજા છું, તેમ ભગવાન આત્માની જ્યોતિ તો એવી ને એવી છે. પુણ્યપાપની વૃત્તિ ઊઠે છે તે વિકાર છે, મારા સ્વરૂપમાં નથી–એવું ભેદજ્ઞાન થયે આત્માનો અનુભવ થાય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
પ્રશ્ન - જ્ઞાન પોતાનું સ્વરૂપ છે, તે પોતાને કેમ ન જાણે ? આત્મા જ્ઞાનથી વ્યાપક છે, તો તેનું જ્ઞાન પોતાને કેમ જાણતું નથી? પોતાનું જ્ઞાન પરને જાણે, દયા, દાન, શરીર, વાણીને જાણે, જડની ક્રિયાને જાણે, તો પોતાને કેમ જાણતું નથી ? એમ શિષ્યને સમજવાની ઝંખના થઈ છે.
મન, વાણી ને કર્મ તથા જે શુભાશુભ ભાવો થાય તે પરથી તન્મય છે, મૂળ સ્વરૂપમાં તે નથી. એવો મારો જ્ઞાનસ્વભાવ આપ કહો છો તો મારું જ્ઞાન મને કેમ ન જાણે ? એમ શિષ્યને જિજ્ઞાસા થઈ છે. આ પ્રશ્નમાં સમજવાની ધગશ તથા નિર્માતા છે. શિષ્ય આત્માને સમજવાનો કામી છે એમ બતાવે છે. બીજો કોઈ મનરોગ નથી. મારું જ્ઞાન મને જાણવામાં કામ ન આવે, એ મને શું થયું? એમ પ્રશ્ન પૂછે છે.
સમાધાન :- જ્ઞાન અનાદિથી પરમાં રોકાઈ ગયું છે. રાગ અને પર પદાર્થોમાં જ્ઞાન ફેલાઈને રોકાઈ ગયું છે. ભગવાન આત્મા સમ્યકજ્ઞાનનો સૂર્ય છે. દેહ, મન, વાણીથી પાર ને કર્મથી પાર અંદર ગુપ્ત છે. પોતે તો પ્રગટ છે, પરંતુ તેનું જ્ઞાન દે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com