________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૩
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૪]
પુણ્ય-પાપની રુચિ મટતાં જ સાચી શ્રદ્ધા કરી, સ્થિરતા થતાં વીતરાગપદ પામે છે ત્યારે અનાકુળ થઈ અનંત સુખના રસનો આસ્વાદ
લ્ય ને આત્માને અમર કરે, તેને જન્મ-મરણ રહે નહિ તે કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધ થાય. સ્વભાવ તો અમર હતો પણ પર્યાયમાં અમર ના હતો, જુદા જુદા ભવો કરતો ને અમર રહેતો નહિ, હવે ભાન કરી અનાકુળ થઈ, પર્યાયમાં અમર થયો.
જેવી રીતે કોઈ રાજા દારૂ પીને નિંધ-સ્થાનમાં રતિ માને, તેવી રીતે નિજાનંદ આત્મા શરીરથી જુદો હોવા છતાં શરીર, કર્મ અને પુણ્યપાપરૂપી દેહમાં રતિ માને છે. વિકાર આત્માનું ખરું સ્વરૂપ નથી, માટે તેને વિકારી દેવું કર્યું છે. રૂપાળું શરીર ઠીક છે એમ માનનારને ચિદાનંદ ઠીક છે એમ લાગતું નથી.
હવે, જેમ રાજાને દારૂનો મદ ઊતરે ત્યારે રાજપદનું જ્ઞાન થઈને દીવાનખાનામાં જાય, તેમ અજ્ઞાનીએ મોહનો દારૂ પીધો હતો તે મદ ઊતરવાથી એટલે કે મોહનો નાશ કરી પોતાના પદનું જ્ઞાન પોતે સચ્ચિદાનંદસ્વરૂપ છે એમ ભાસે ને પોતાની સંપદા વિલસે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com