________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૧]
[ ૬૩
લે. સાક્ષાત્કાર થયે સર્વ ફળ પામશો. પ્રતીતિમાં તો ચિંતામણિ પ્રાપ્ત કર્યા જેવો હર્ષ થયો છે.
એ પ્રમાણે આત્મા ચિંતામણિ સમાન છે, તેની પ્રતીતિ કરવાથી આત્મા પ્રાપ્ત કર્યા જેવો હર્ષ થાય છે ને એકાગ્ર થાય તો પૂર્ણ આનંદ પ્રગટ થાય તેમ છે. ચિદાનંદ આત્માનું મનન કરી પ્રતીતિ થઈ ત્યાં સમ્યજ્ઞાન એકદેશ ઉઘડયું ત્યારે કેવળજ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું. સમ્યગ્દષ્ટિ-મતિજ્ઞાની જીવ અશુદ્ધ અંશને પોતાનો માનતો નથી. અશુદ્ધતા તે ઉપાધિભાવ છે, તે સ્વભાવમાં નથી; માટે ત્રિકાળ સ્વભાવમાં તેની કલ્પના કરતો નથી. પર્યાયમાં અશુદ્ધતા છે તેને જ્ઞાન જાણે છે, પણ શ્રદ્ધામાં શુદ્ધ સ્વરૂપ લીધું છે. સ્વસંવેદન મતિજ્ઞાન દ્વારા થયું છે, રાગ કે નિમિત્ત દ્વારા થયું નથી. જાણવાનો સ્વભાવ મારો છે, બીજો કોઈ સ્વભાવ મારો નથી-આ પ્રમાણે સિદ્ધિ થાય છે. આમ મતિજ્ઞાનમાં વિચારની વાત કરી.
એ પ્રમાણે શ્રુતમાં વિચારે છે કે મેં મનન કર્યું કે મારું સ્વરૂપ જ્ઞાન છે, હું આનંદ છું. એ પ્રમાણે ચારે જ્ઞાન સ્વસંવેદન પરિણતિ વડે તો પ્રત્યક્ષ છે. અવધિ અને મન:પર્યયજ્ઞાન રૂપી પદાર્થને જાણે છે છતાં તે જ્ઞાન પોતાનું છે, અંશે પ્રત્યક્ષ છે. અવધિ-મન:પર્યયજ્ઞાનનું વેદન પોતાનું છે, જડનું નથી.
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચારે જ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષ છે. અવધિ-મન:પર્યય જ્ઞાન એકદેશ પ્રત્યક્ષ છે, સર્વઅવધિ વડે સર્વ વર્ગણા ૫૨માણુમાત્ર દેખે તેથી એકદેશ પ્રત્યક્ષ કહેલ છે. મનઃર્યય જ્ઞાન પણ ૫૨ના મનનું જાણે તેથી એકદેશ પ્રત્યક્ષ છે. જેને અવધિ-મન:પર્યય જ્ઞાન થાય તેની વાત લીધી છે. ‘કોઈને મતિ-શ્રુતથી સીધું કેવળજ્ઞાન થાય, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન ન પણ હોય. અવધિજ્ઞાન ચોથે, પાંચમે કે છઠ્ઠ ગુણસ્થાને કોઈ ધર્માત્માને પ્રગટે છે. મન:પર્યયજ્ઞાન છà ગુણસ્થાને કોઈ મુનિને પ્રગટે છે.
કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com