________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૩
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૯] જેટલા ભગવાન થયા તે અંતર્મુખ દષ્ટિથી થયા છે. પોતાનું નિધાન પોતા પાસે છે એમ પોતાને પીછાણતાં જ સુખી થાય છે.
સ્વસમ્મુખ થયેલી શ્રુતજ્ઞાનની એક પર્યાયમાં સર્વજ્ઞ જે કહે તે બધું પરોક્ષ રીતે ભાસી જાય છે. આવી કળા શ્રુતજ્ઞાનમાં છે. પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરે એવો આત્મા મારી સમીપ છે, તેથી મારો આત્મા જ્ઞાનનો ધારક છે. શરીર, મન, વાણીએ જ્ઞાનપ્રકાશ ધાર્યો નથી. મારું સ્વરૂપ અનંત ચૈતન્યશક્તિ સ્વભાવથી શોભિત છે. જેટલા પરમાત્મામાં ગુણ છે તેટલા મારામાં છે. કસ્તૂરિયા મૃગને કસ્તૂરીની ગંધ પોતાની તૂટીમાંથી આવે છે, છતાં તે ગંધ બહારથી આવતી હોય તેમ માને છે. તેથી વનસ્પતિને સુંઘવા જાય છે, તેમ જ્ઞાનાનંદસ્વરૂપ હું છું, બધા પદાર્થો મારા અસ્તિત્વમાં શેયપણે જણાય છે, છતાં પુસ્તકમાં, પર્વતના એકાંત સ્થાનમાં ને બાહ્ય સંયોગોમાં આત્મભગવાનને શોધવા જાય તે ભૂલ છે. પોતાનો ભગવાન પોતાની સમીપ છે, મારો ઉપયોગ એટલે જાણવા-દેખવાનો વેપાર સ્વભાવમાં એકાગ્ર કરવાથી સુખ થાય છે, તે મારે આધીન છે. કોઈના શાપથી કોઈ દુઃખી નથી ને કોઈના આશીર્વાદથી કોઈનું કલ્યાણ થતું નથી.
કોઈ જીવ પાપના પરિણામ કરીને આત્માને વેચે, કોઈ જીવ પુણ્યના પરિણામ કરીને આત્માને વેચે, કોઈ રાગરહિત શુદ્ધ આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને આત્માને પોતામાં વેચે, આત્મા તો એનો એ છે; કિંમત કરનાર ઉપર આધાર છે. કોઈ પાપમાં સુખ માને, કોઈ પુણ્યમાં સુખ માને, કોઈ ધર્મી જીવ ચૈતન્યની સંભાળ કરી સુખ માને. આમ કિંમત કરનાર ઉપર આધાર છે. અંતર શુદ્ધ ચૈતન્યસ્વભાવ એવો ને એવો પડ્યો છે, તેમાં પોતાના પરિણામરૂપ ઉપયોગને ધારણ કરી રાખું તો અનાદિ દુ:ખ મટી જાય અને પરમપદનો ભેટો થાય. -એમ ધર્માત્મા વિચારે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com