________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૧૩, સોમ ૧૫-૧૨-પર
પ્ર. - ૯
આત્મામાં આનંદ ને સુખનો અનુભવ થવો તે અનુભવપ્રકાશ છે. નિજસુખને નિજઉપયોગ કહ્યું છે. પોતાના જ્ઞાનનો વ્યાપાર પોતામાં વળે તો સુખ પ્રગટે તેમ છે. બાહ્ય સ્ત્રી, કુટુંબ કે રાગાદિમાં સુખ નથી. પોતામાં સુખ છે. એની પ્રાપ્તિ થવી સહેલી છે, છતાં મોંઘી કેમ થઈ પડી છે તે કહે છે.
અનાદિથી સંસારી જીવને વર્તમાન અવસ્થામાં ભૂલ થઈ છે. ચિદાનંદ ભગવાનને ચૂકી ક્ષણિકની પ્રતીતિ કરી મિથ્યાત્વનો દારૂ પીધો છે. સ્વભાવ અને વિભાવને ભિન્ન ન પાડવા તે અવિવેક છે. સ્વભાવ નિરુપાધિમય કાયમી ચીજ છે ને રાગ-દ્વેષાદિ વિભાવ ક્ષણિક છે, તે બેનો ભેદ પાડવો તે વિવેક છે. સ્વભાવનો સંગ કર્યો નથી. તેથી અવિવેકમલે તે દશાનો નાશ કર્યો એમ કહ્યું છે. પરિણામમાં અવિવેક છે એમ બતાવે છે. શરીર, મન, વાણી પર છે. સંસારપર્યાયનો ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે એવું ભાન નથી, તેથી વર્તમાન બુદ્ધિ એટલે પર્યાયબુદ્ધિરૂપી અવિવેકમલે જયસ્તંભ રોપેલ છે. નિગોદથી માંડીને બધા મિથ્યાષ્ટિ જીવોને અવિવેકમલ્લે જીતેલ છે, તેથી તે જોરાવર બનેલ છે. શરીર, મન, વાણી ને પુણ્ય-પાપ આદિ જ્ઞાનમાં જણાય એવી ચીજો પર છે ને પોતે સ્વ છે એવું ભેદજ્ઞાન નથી, તેથી અવિવેકમલ્લ જોરાવર બની ઊભો છે. જે નિમિત્તથી જુદો પડતો નથી તે રાગથી તો જુદો ક્યાંથી પડી શકે? ન જ પડી શકે. અસંગ સ્વભાવ એકરૂપ છે. ગમે તેટલો સંસાર થયો, છતાં સ્વભાવમાં ક્યાંય ખામી આવી નથી. તેવા સ્વભાવને નહિ માનતાં કૃત્રિમ લાગણીઓને માનનારને તે અવિવેકમલ જોરાવર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com