________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૮]
[૪૭ ગુરુ કહે છે કે “હું અવસ્થા! તું રાગદ્વેષને જોવા છોડી અંતરસ્વભાવને જો. ચિદાનંદ ભગવાનમાં કેવળજ્ઞાનની શક્તિ પડી છે તેને જો. તે જ્ઞાનમહિમાને છુપાવી બેઠો છે, તેની વિધિને જો, આત્માનો અનુભવ કરવાની આ રીત છે.”
વર્તમાન અલ્પજ્ઞતા ને વિકાર હોવા છતાં તે સ્વભાવમાં નથી. જ્ઞાનનો ભંડાર છે તેને પીછાન. તેની દષ્ટિ કર તો સાક્ષાત્કાર થશે, તારો નાથ ઢાંક્યો રહેશે નહિ. વિચારધારાને વિકારમાં નહિ અટકાવતાં ચિદાનંદ પ્રભુને અંતર જો, તો સુખી થઈશ. આમ તને નિજસુખનો ઉપાય કહ્યો.
તારો ચૈતન્યસૂર્ય શક્તિનો પિંડ છે, પણ વિકારમાં હાથ આવતો નથી. ધૂમાડા આડે અગ્નિ કે તપેલું દેખાતાં નથી, તેમ ચિદાનંદ ભગવાન આત્મા પુણ્ય-પાપની મજામાં દેખાતો નથી. શરીર, મન, વાણીની ક્રિયામાં ને કર્મની જાળમાં સંતાઈ ગયો છે, માટે એકવાર આ ચૈતન્યસૂર્યને જે. તારા સુખની પ્રાપ્તિનો ઉપાય તારામાં છે. ઇન્દ્રપદમાં કે સ્વર્ગમાં સુખ નથી. ભગવાન આનંદકંદ આત્માનો ભરોસો કરે તો સુખ મળે તેમ છે. વિકાર વિનાના ત્રિકાળ સ્વભાવમાં સુખ છે તેને જો. તે નિજસુખનો ઉપાય કહ્યો.
જે ચૈતન્યધારા વહે છે તેને બહારમાં રોકે છે તે સંસાર છે, તેને અંદરમાં વાળ તે ધર્મ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com