________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 416] [ શ્રી અનુભવ પ્રકાશ આનંદનો અનુભવ છે, એકધારા આનંદ અનુભવે છે. હું રાગરહિત છું, અખંડ છું, તેનો સ્વાદ લીધો તે જગતમાં ધન્ય છે. પોતાના આત્માની ભાવના કરી અનુભવ કરે છે તે ધન્ય છે. આ અનુભવ-પ્રકાશ ગ્રંથ છે. જ્ઞાની સાધર્મી દીપચંદજી શ્રાવક થઈ ગયા તેમણે બનાવેલ છે. પહેલાંના શ્રાવકો રાજમલજી પાંડે, ટોડરમલજી, શ્રી જયચંદ્રજી, ઘાનતરાય વગેરે જ્ઞાની હતા. અનુભવ નિજ જ્ઞાનનો દાતાર છે, એનો અનુભવ કરી સંતો સુખ પામ્યા છે. ભવ્ય જીવો નિરુપમ આત્માની શ્રદ્ધા કરે. શ્રી દીપચંદજી કહે છે કે આત્મા પોતે અવિકારસ્વરૂપ છે, તેની શ્રદ્ધા કરો. સમાપ્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com