________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૭]
[૪૧૫ સ્ત્રી, મકાન તથા શરીર આદિ આત્માથી ભિન્ન છે-એમ શ્રદ્ધા કરી અનુભવ કરે છે. ધર્મી સમજે છે કે શરીર, મન, વાણી પર છે, વિકાર અપરાધ છે, તે રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ છે-એવું ભાન હોવાથી કોઈ કોઈવાર અમૃતનો અનુભવ કરે છે તથા મુનિઓ વારંવાર અનુભવ કરે છે. ચોથા-પાંચમા ગુણસ્થાનવાળા તે મુક્તિના સાધક છે કેમકે આત્માનું ભાન છે. મિથ્યાદષ્ટિ મુનિ બાહ્યથી ક્રિયાકાંડ કરતો હોય પણ આત્માનું ભાન નથી તેથી સંસારનો સાધક છે. ધર્માત્મા બાળક હો, વૃદ્ધ હો, કે દેડકો હો, પણ હું જ્ઞાનાનંદ છું, રાગ હું નથી-એમ ભાન હોવાથી જ્યારે અનુભવ કરે છે ત્યારે અંશે સિદ્ધ સમાન આત્માનો અનુભવ કરે છે. સિદ્ધના જેટલો પૂર્ણ અનુભવ નથી પણ સિદ્ધની જાતનો અનુભવ છે. પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે આત્મતત્ત્વને અનુભવે છે. ધર્મી આઠ વર્ષના રાજકુમાર અથવા રાજકુમારી હોય તો તેને પણ આત્માનો અનુભવ થાય છે. એકદેશ આનંદકંદનો અનુભવ થયો એટલે સ્વરૂપ અનુભવની સર્વ જાતિ પિછાણી છે. સિદ્ધ-અર્વત વગેરેને આવો અનુભવ હોય છે તેમ જાણી લ્ય છે. અનુભવ પૂજ્ય છે. પોતે શુદ્ધ આનંદકંદ છે એવી શ્રદ્ધાપૂર્વક અનુભવ પૂજ્ય છે. તે જ પરમ છે, તે જ ધર્મ છે. આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે જ ધર્મ છે. ધર્મ કહો, કે ચારિત્ર કહો, -એક જ છે. એ જ જગતનો સાર છે. આત્માનો અનુભવ ભવનો ઉદ્ધાર કરે છે. અનુભવ વિકાર રહિત છે. અનુભવ ભવનો પાર કરે છે. મહિમાને ધારણ કરે છે. જ્ઞાનાનંદ આત્માની દષ્ટિ કરીને અનુભવ થાય તે દોષનો નાશ કરે છે. આત્માની શક્તિમાં જ્ઞાન ને આનંદ ભર્યા છે. શક્તિની વ્યક્તિરૂપી અનુભવથી ચિદાનંદનો સુધાર થાય છે, તે જ સુધાર છે.
દેવ જિનેન્દ્ર, અહંત, ગણધરો ને મુનિઓ વગેરે અનુભવ કરીને નિશ્ચય પામ્યા છે. આત્માની રુચિ કરીને આનંદ પામ્યા છે. અહંત ને સિદ્ધ કેવળજ્ઞાનમાં બિરાજે છે. તેમને નિત્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com