________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૧૧, શુક્ર ૧૨-૧૨-પર
પ્ર. -
૬
આત્માને અતીન્દ્રિય આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. આત્મા વસ્તુ છે, એમાં જ્ઞાન ને આનંદ ત્રિકાળ છે. અંતર્મુખ થઈ વીતરાગી આનંદનો અનુભવ થવો તે ધર્મ છે ને મુક્તિનો ઉપાય છે.
આત્મામાં અધિકરણ ગુણ છે. તેમાં એકરૂપતા છે. તેના આધારે નિર્મળતા પ્રગટ થાય છે.
જો અધિકરણ ગુણ ન હોય તો સર્વનો આધાર ન હોત. સર્વનો આધાર એટલે કે અનેક વીતરાગી પર્યાયનો આધાર તે ગુણ છે. શરીરની ક્રિયા કરી શકાય કે પરની દયા પાળી શકાય તે વાત તો છે જ નહિ. એવો રાગ આવે પણ પરનું કરી શકે એ વાત મિથ્યા છે. વસ્તુના અવલંબને અનેક પ્રકારની વીતરાગી પર્યાયો પ્રગટે છે.
૪૧. સ્વયંસિદ્ધ - આત્માનો કોઈ કર્તા નથી, વળી આત્મા રાગને લીધે ટકયો નથી તેમ જ પર્યાયને લીધે પણ ટક્યો નથી. સ્વયંસિદ્ધ નામના ગુણને લીધે ટકે છે. તે ગુણ ન હોય તો પરાધીનતા આવત. આત્મા પોતે પોતાથી નક્કી કરવા માટે રાગ, સહુનન કે પર્યાયની જરૂર નથી. સ્વયંસિદ્ધ શક્તિ પડેલી છે. મારાથી હું છું, મારાપણું પરને લીધે નથી. આત્માનું આવું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના ધર્મ થાય નહિ ને સંસારમાં રખડવું ટળે નહિ.
૪૨. અજ :- આત્મામાં અજ એટલે જન્મવું નહિ એવો ગુણ છે. આમાં કદી જન્મતો નથી. જો તે ગુણ ન હોય તો શરીર અને રાગને ઉપજાવવામાં નિમિત્ત થયા કરત. આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com