________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦]
[ શ્રી અનુભવ પ્રકાશ ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે, જન્મવાનું તો નથી પણ રાગને ઉપજાવવામાં પણ આત્મા નિમિત્ત નથી.
૪૩. અખંડ :- આત્મામાં અખંડ નામે એક ગુણ છે. તેના આધારે આનંદ ને અનુભવમાં અખંડિતતા આવે છે. જો તે ન હોત તો સદાય રાગદ્વેષમાં અટક્યા કરત ને જ્ઞાન-દર્શન–ચારિત્રમાં ખંડિતતા રહ્યા કરત, સાધકદશામાં બાધકદશા રહ્યા કરત ને સિદ્ધદશા કદી ન થાત; એટલે કે પર્યાયમાં સદા અપૂર્ણતા રહેત.
૪૪. વિમળ :- દયા–દાનાદિ શુભ વિકાર છે, તે અનિત્ય પર્યાયમાં થાય છે; પણ સ્વભાવમાં વિમળ નામનો ગુણ છે તેથી સદાય નિર્મળ છે. જો તે ન હોય તો સદાય મેલ રહ્યા કરત; એટલે કે સંસારનો અભાવ થાત નહિ. આવા સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન ને એકાગ્રતા તે ધર્મ છે.
એક ગુણની ના પાડો તો અનંતા ગુણોનો પિંડ એવું દ્રવ્ય રહેતું નથી, તેમ જ ગુણની વર્તમાન હાલત એટલે પર્યાય રહેતી નથી. આમ એક ગુણની ના પાડતાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભૂલ થાય છે. વસ્તુ એકરૂપ છે, તેના ગુણો સ્વયંસિદ્ધ છે. એક ગુણ ન હોય તો વસ્તુની પ્રતીતિ સાચી થતી નથી, તે વિના ચારિત્ર થતું નથી.
૪૫. એક :- આત્મામાં એક નામનો ગુણ છે. બધા થઈને એક આત્મા નથી, પણ ગુણ-પર્યાયરૂપે અનેકાણે હોવા છતાં વસ્તપણે આત્મા એક છે.
૪૬. અનેક - અનંત ગુણોમાં અનેક નામનો એક ગુણ છે. જો અનેક ન હોય તો ગુણ અનેક ન રહેત, જેમ દ્રવ્ય એક છે તેમ ગુણ પણ એક રહેત પણ એમ હોતું નથી.
૪૭. નિત્ય :- આત્મામાં નિત્ય નામનો ગુણ છે. જો તે ન હોય તો આત્મા એકાંતે અનિત્ય થઈ જાત, પણ એમ બનતું નથી.
૪૮. અનિત્ય :- આત્માની પર્યાયમાં ૧. અનંતગુણવૃદ્ધિ, ૨. અસંખ્યગુણવૃદ્ધિ, ૩. સંખ્યગુણવૃદ્ધિ, ૪. અનંતભાગવૃદ્ધિ, ૫. અસંખ્યભાગવૃદ્ધિ, ૬. સંખ્યભાગવૃદ્ધિ, ૧. અનંતગુણ હાનિ, ૨. અસંખ્ય ગુણ હાનિ, ૩. સંખ્યગુણ હાનિ, ૪. અનંતભાગ હાનિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com