________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૯, રવિ ૮-૨-૫૩
પ્ર. -૬૩
આત્માનો શાંત સ્વભાવ છે. તેની રુચિ કરી, એકાગ્રતા કરવી તે અનુભવ છે. વર્તમાનદશામાં પુણ્ય-પાપ થાય છે તેની રુચિ છોડી, સ્વભાવમાં એકાગ્ર થવું તે ધર્મ ને અનુભવપ્રકાશ છે. જગતનું ચારિત્ર જૂઠું જ બન્યું છે, તેને મોહથી જાણતો નથી. પર વસ્તુનું જૂઠાણું જાણતો નથી. વિકાર ને પરની પ્રીતિ કરે છે તેથી ચારિત્ર જૂઠું બન્યું છે. પુણ્ય-પાપરૂપ ભાવો પર્યાયમાં છે પણ તે સ્વભાવમાં અભાવરૂપ હોવાથી જૂઠા છે. આત્માના ભાન વિના બધું જૂઠ છે. પરની પ્રીતિ છોડતો નથી તેથી સંસાર છે. હું જ્ઞાન ને આનંદસ્વરૂપ છું એમ સ્વ-સ્વભાવની પ્રીતિ કરે તો પરપ્રીતિ ન ધારે. આત્માનું સમ્યગ્દર્શન કહો કે સ્વરસનું સેવન કહો-એ એક જ છે. પર્યાયમાં રાગ થાય છે, પણ સમ્યગ્દષ્ટિ તેનો આદર કરતા નથી. પુણ્ય-પાપ આકુળતા છે. અનાકુળ શાંત સ્વભાવની પ્રીતિમાં પુણ્ય-પાપની પ્રીતિ ન કરે, પરની પ્રીતિ ન કરે. સમ્યગ્દષ્ટિ જાણે છે કે હું અનાકુળ શાંત છું, તેને આત્માના આનંદ સિવાય પુણ્યપાપના પરિણામમાં પ્રીતિ નથી. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે છે પણ રાગથી ધર્મ થાય અથવા રાગથી સમ્યગ્દર્શન કે ચારિત્ર થાય એમ ધર્મી માનતો નથી.
સંસારમાંથી તરવાનો ઉપાય એ છે કે જાણવા-દેખવાનો વ્યાપાર થાય છે તે જ હું છું, આ સિવાય બીજો ઉપાય નથી. જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે જ હું છું. રાગની ભાવના છોડે એમ કહેવું તે વ્યવહાર છે. પોતે જ્ઞાનસ્વભાવી છે એમ ભાવના કરે તો તરે જ તરે.
હું આત્મા છું. એવી રૂચિ છોડી, વિકાર અને સંયોગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com