________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૨]
[૩૮૫ પરમાં પોતાપણું માને છે, સ્ત્રી-કુટુંબ આદિ મારાં છે, એ મને સુખના કારણ છે-એ માન્યતાથી જીવ પોતે પોતાને ઠગે છે. સુખનો પ્રકાશ તો તારી અનંતશક્તિમાં ભર્યો પડયો છે. પરમાં ક્યાંય સુખ નથી-એમ દષ્ટિ કર, પ્રતીતિ કર તો સુખ થશે. આત્મા પોતે કોણ છે અને વિકાર શરીરાદિ કોણ છે-એને બરાબર જાણે તો પોતાના સ્વરૂપને પામે. વારંવાર આ વાત કરવામાં આવે છે, કેમકે અનાદિથી દિઢ મિથ્યાત્વની ગાંઠ અજ્ઞાનીએ પોતામાં પાડી છે. દર્શનમોહના કારણે નથી પણ અજ્ઞાનીએ પોતે દઢ ગાંઠ પાડી છે-માટે સ્વપદની ભૂલ પડી છે.
હવે ભેદજ્ઞાન-અમૃતરસ પીએ ત્યારે અનંતગુણધામ અભિરામ આત્માની અનંતશક્તિનો મહિમાં પ્રગટ થાય છે. અનંત પરમાણુ જડ છે, એક પરમાણુથી બીજા પરમાણુની ક્રિયા થાય તો અનંત પરમાણુ પૃથક પૃથક્ રહે નહિ. અને નિમિત્તના કારણે આત્મામાં કાંઈ થાય તો અજીવ અને જીવ પૃથક્ પૃથક્ છે એમ રહેતું નથી. માટે જીવ-અજીવની પણ યથાર્થ શ્રદ્ધા રહી નહિ. વ્યવહાર છે માટે નિશ્ચય પ્રગટે છે એમ માને તો આસ્રવ-સંવર બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર તત્ત્વ છે-એમ પણ માન્યું નહિ. અને કર્મના કારણે વિકાર થાય છે એમ માનવામાં આવે તો અજીવ અને આસ્રવ બને પૃથક્ પૃથક્ રહેતાં નથી. આમ અજ્ઞાનીને સાત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા હોતી નથી. એક પણ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરે તો ભેદજ્ઞાન થયા વિના રહે નહિ. અને ભેદજ્ઞાન જેને થાય છે તેને આત્માનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે.
આત્મા પર પદાર્થની ક્રિયા કરે તો બે પદાર્થો પૃથક પૃથક રહેતા નથી. બે વસ્તુને ભિન્ન ભિન્ન માનીને ભેદજ્ઞાન કરે તો આત્મામાં અનુભવ થાય. પર પરિણામ દુઃખધામ જાણી, પરનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com