________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૭, શુક્ર ૬-૨-૫૩
પ્ર. -૬૨
આત્માના સ્વરૂપને આનંદનું કારણ માને તેને અનુભવપ્રકાશ કહે છે. પરને સુખરૂપ માનવું તે દુઃખનું કારણ છે. આત્મા શક્તિરૂપે જ્ઞાનાદિ અનંત ગુણોનો પિંડ છે, તે જ આનંદનું કારણ છે એમ સમજે નહિ અને દેવ-ગુરુ-શાસ્ત્રાદિ પર પદાર્થો મને સુખના કારણો છે એમ જે માને છે તે મિથ્યાત્વના કારણે દુઃખને જ ભોગવે છે; પોતાની સહજ શક્તિની સંભાળ કરતો નથી.
જ્ઞાનપ્રકાશરૂપ મારો ઉપયોગ છે તે સદા મારું સ્વરૂપ છે. સદાય મારો સ્વભાવ મારામાં છે, એનો કદી વિયોગ થયો જ નથી, એમ અનંત મહિમાનો ભંડાર અવિકાર સાર હું જ છું, એમ દષ્ટિ કરતાં ર્નિવાર મોહનો નાશ થાય છે. જ્ઞાનપ્રકાશ મારો સ્વભાવ છે, આનંદ મારો સ્વભાવ છે અને સદાય મારો સ્વભાવ મારામાં જ છે. એનો કદી અભાવ થયો જ નથી એમ જ્ઞાની ચિંતવે છે. દેહનો સંયોગ અલ્પકાળ રહે છે. એમાં આત્માનું યથાર્થ સાધન નહિ કરું તો કયારે કરીશ? માટે આત્માનો અનુભવ કરવો એ જ કર્તવ્ય છે. એમ જ્ઞાની જાણે છે. લોકોને બહારની વાતમાં તો જલદી ગમ પડે છે, પણ એ તો ધૂળધાણી ને વા પાણી છે. આ તત્ત્વને સમજ્યા વિના ત્રણ કાળમાં આરો આવે એમ નથી. આત્મા જ્ઞાનસ્વરૂપી છે, એનો નિર્ણય કરવો એ જ આ મનુષ્યભવ પામીને કરવા જેવું છે. પર પદાર્થની ક્રિયા તો આત્માની નથી. તે પદાર્થો પોતામાં વિયોગરૂપ છે અને વિયોગરૂપ રહે છે. આત્માનો સ્વભાવ તો એવો ને એવો રહે છે. એનો વિયોગ થતો નથી. પુણ્ય-પાપના પરિણામ પણ એકરૂપ રહેતા નથી, તે પણ બદલ્યા કરે છે.
અનંત મહિમાનો ભંડાર આત્મા અનંતકાળથી પરમાં સાવધાની કરતો હતે, હવે પોતાની સાવધાની કરવી એ જ કર્તવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com