________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૯].
[૩૬૫ ભાવ છે તે નિરૂપાધિ ભાવ છે અને જેટલો પરલક્ષે થયેલો ભાવ છે તે ઉપાધિભાવ છે. ઉપાધિરહિત ભાવ તે સમાધિ છે.
લોકો સમાધિ કહે છે એવી આ સમાધિ નથી. ટીલાટપકાં કરીને કુંભક-રેચક આદિ કરે છે અને ધ્યાનમાં બેસે છે એ કાંઈ સમાધિ નથી. સમાધિની ખબર હોય નહિ અને સમાધિના પાઠો ભણે એથી કરીને કાંઈ સમાધિ થઈ જાય નહિ.
આત્મામાં વિશ્રામ થતાં સ્વરૂપસ્થિરતા પામી સમાધિ લાગી, જ્ઞાનધારા નિરાવરણ થઈ, જેમ જેમ નિજતત્ત્વ જાણે તેમ તેમ જ્ઞાનધારા વધવા માંડી. ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવાથી એકરૂપધારા વધે છે, તેમ તેમ વિશુદ્ધતા કેવળથી અને જ્ઞાનપરિણતિ પરમ પુરુષથી મળી નિજમહિમા પ્રગટ કરે ત્યાં અપૂર્વ આનંદભાવનો દર્શાવ થાય ત્યારે સ્વરૂપસમાધિ કહેવાય.
અહીં નિજતત્ત્વ એટલે ત્રિકાળ શક્તિરૂપ સ્વભાવભાવ છે. એને જાણતાં વિશુદ્ધતા વધે છે, ત્યારે તે પરિણતિ આત્મા ત્રિકાળસ્વભાવરૂપી પરમ પુરુષમાં એકાકાર થઈ અને પોતાનો મહિમા ખ્યાલમાં આવ્યો તથા પૂર્વે એક સમયમાં પણ પ્રગટ નહિ કરેલ એવો આનંદ પ્રગટ થયો, એને અહીં સમાધિ કહે છે. પૂર્વે સ્વર્ગમાં, મનુષ્યાદિ વગેરેમાં કયાંય પણ નહિ અનુભવેલ આનંદ પ્રગટ થાય છે. એવો આનંદ તે સમાધિ છે.
આત્મા નિરંજન નિર્વિકલ્પ રૂપ છે; તેને જાણીને અંતઅવલોકનથી નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી તે ગિરિગુફામાં પ્રવેશ છે. બહારમાં વસ્તી છોડીને પહાડમાં ચાલ્યા જાય તે ગિરિગુફા નથી. આત્માના સ્વરૂપમાં લીન થવું તેને ગિરિગુફામાં પ્રવેશ કર્યો કહેવાય છે.
અનાદિ અજ્ઞાનનો ભ્રમભાવ જે આકુળતાનું મૂળ છે તે ભાવ સમાધિ થતાં મટે છે. જુઓ, અહીં અનાદિનો આકુળતાભાવનો નાશ કેમ થાય તે કહે છે. પુણ્ય-પાપ તો દુઃખ છે, એ ભ્રમભાવને છોડીને અંતર્સન્મુખ થવું તે આકુળતા નાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com