________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૮]
[૩૬૩ છે, એનાથી જ સમાધિ પ્રગટે છે, અસમાધિ થતી નથી. સ્વરૂપનું વેદન કરવું એને જ ભગવાને વિધાન કહેલ છે.
અજ્ઞાની શાસ્ત્રના અર્થને સમજતો નથી. શાસ્ત્રમાં તો નિમિત્તથી પણ કથન કર્યું હોય. આત્મા છે તો એની પર્યાય એનાથી થાય કે પરથી થાય? પરથી થાય એમ માને તે નિમિત્તના કથનને સમજતો નથી. એક મૂરખો પરદેશ ગયો હતો, એના બાપે કાગળ લખ્યો કે તારી સ્ત્રી કહે કે હું રાંડી છે. તે કાગળ વાંચી તેણે માન્યું કે મારી સ્ત્રી રાંડી, પણ તેના લખાણને સમજ્યો નહિ કે હું બેઠાં મારી સ્ત્રી રાંડે નહિ. એમ શાસ્ત્રના કથનને સમજે નહિ અને મારી પર્યાય પરથી થાય એમ માને તે આત્મા જીવતો-મોજૂદ પદાર્થ છે એની પર્યાય પરથી થાય નહિ, આટલી પણ તેને ખબર નથી. અહીં તો કહે છે કે પરની તો વાત નથી પણ આત્મામાં શુભાશુભ ભાવ થાય એ પણ ધર્મનું વિધાન નથી. જ્ઞાની સ્વસમ્મુખ થઈને આત્માનો અનુભવ થાય તેને ધર્મનું વિધાન સમજે છે અને તે જ સમાધિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com