________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૬]
[૩૫૧ છે, કેમકે ઘાતિયાકર્મના નાશથી તે સકલ પરમાત્મા થયા છે. તેને સર્વપ્રત્યક્ષજ્ઞાન છે, ત્યાં મિશ્રભાવ રહ્યો નથી.
સમ્યગ્દષ્ટિ બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. તેને પણ અંતર્મુહૂર્ત તો મિશ્રભાવ રહે છે અને જ્યારે તેનો નાશ કરે છે ત્યારે સકલ પરમાત્મા થાય છે. -એ શરીર સહિત પરમાત્મા છે એની વાત કરી. હવે સિદ્ધ પરમાત્માની વાત કરે છે.
સિદ્ધ સકલકર્મરહિત પરમાત્મા છે. અંતરાત્માને જ્ઞાનધારા અને રાગધારા બે છે-એમ જો તમે કહો છો તો એમાં પ્રશ્ન થાય છે કે બારમાં ગુણસ્થાને બે ધારા છે કે એક જ્ઞાનધારા જ છે? જો જ્ઞાનધારા જ છે તો તેને અંતરાત્મા ન કહો તથા જો ત્યાં બને ધારા છે, એમ કહો તો બારમે મોક્ષય થયો છે, તો કર્મધારા કયાં રહી ? એટલે કે બારમા ગુણસ્થાનમાં તો વીતરાગદશા થઈ ગઈ છે. તો હવે ત્યાં અધૂરાશ કેવી રહી છે?
સમાધાનઃ- બારમા ગુણસ્થાને હજુ કેવળજ્ઞાનને આવરણ છે એ અપેક્ષાએ તે અંતરાત્મા છે. એટલે કે અજ્ઞાનભાવ બારમા સુધી છે, માટે ત્યાં મિશ્રભાવ અને અંતરાત્મા કહેલ છે. પ્રત્યક્ષ જ્ઞાન સિવાય પરમાત્મા ન કહેવાય. બારમા ગુણસ્થાનમાં કષાયભાવનો નાશ થવા છતાં જ્ઞાનની પૂર્ણતા થઈ નથી–એટલું અજ્ઞાનપણું રહ્યું છે, માટે ત્યાં મિશ્રદશા છે; તો કહે છે કે ત્યાં અજ્ઞાન કેવું છે? તેનું સમાધાન:- કેવળજ્ઞાન વિના સકલ પર્યાય ભાસતાં નથી એ જ અજ્ઞાન અને નિજ પ્રત્યક્ષજ્ઞાન વિના જ ત્યાં અજ્ઞાન છે, એટલે કે પોતાના ગુણ-પર્યાય પ્રત્યક્ષ નથી માટે પણ અજ્ઞાન કહેલ છે અને બધું પ્રત્યક્ષ નથી તેથી પણ ત્યાં અજ્ઞાન નામ પામે છે. ત્યાં વિપરીત જ્ઞાન માટે અજ્ઞાન છે એમ નથી. પ્રત્યક્ષ જ્ઞાનની અપેક્ષાએ ત્યાં અજ્ઞાન કહેલ છે. આ રીતે મિશ્ર અધિકાર થયો.
થોડી નિર્મળતા અને થોડી અનિર્મળતા સાધક દશામાં હોય છે. જો એમ ન હોય તો સમ્યગ્દર્શન થતાં જ કેવળજ્ઞાન થઈ જાય, પણ એવો કમ નથી. પર્યાયનો ધર્મ એવો છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com