________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૨, શનિ ૩૧-૧-૫૩
પ્ર. -૫૬
મિશ્રધર્મ-અધિકાર આત્મામાં ભેદજ્ઞાનપૂર્વક સ્વનું અવલંબન લઈને જે આત્માનો ધર્મ થાય તે અનુભવપ્રકાશ છે. તે વખતે ચારિત્રગુણની મિશ્રદશા હોવાના કારણે અંશે નિર્મળતા અને અંશે મલિનતા છે. તે મલિનતા કર્મના કારણે નથી. નિમિત્તથી હું પર છું એવી જેને ખબર નથી એને વિકારથી રહિત હું છું એવું ભાન થતું નથી. આત્મજ્ઞાન યથાર્થ થયા પછી પૂર્ણદશા હજુ થઈ નથી. એ વખતે જ્ઞાન, ચારિત્ર, યોગ વગેરે ગુણોની શક્તિ પ્રગટરૂપે પૂર્ણ નથી. જો કે શ્રદ્ધાળુણ તો પૂર્ણ પ્રગટ થયો છે, તોપણ બીજા ગુણો પૂર્ણ થયા નથી-એ મિશ્રભાવ છે.
આત્માના જેટલા ગુણો નિર્મળ થયા છે એટલા શુદ્ધ છે, અને જેટલો વિકારભાવ જે જે ગુણોમાં છે એટલી અશુદ્ધતા છે. સમ્યગ્દર્શન થયા છતાં અનુભવ પૂર્ણ થતો નથી. નીચલી દશામાં મિશ્રભાવરૂપી ધર્મ છે. આમ હોવા છતાં પ્રતીતિરૂપ ધર્મમાં સર્વશુદ્ધ શ્રદ્ધાભાવ થયો છે. હા, જ્ઞાનમાં ઓછપ છે, માટે મિશ્રભાવ છે. આત્માને નિમિત્ત અને રાગથી પૃથક્ કરીને સ્વભાવમાં એકત્વરૂપ શ્રદ્ધાભાવ કર્યો છે, પણ બીજા ગુણોની અપૂર્ણતા છે, એટલી કચાશ છે, તે ભાવ આવરણ છે; તેને મિશ્રધર્મ કહે છે.
સ્વસંવેદન છે પણ સર્વપ્રત્યક્ષ સંવેદન નથી. આત્માનો અનુભવ તો છે, પણ પર્યાયને પ્રત્યક્ષ જાણે એવું પૂર્ણ જ્ઞાન હજુ થયું નથી. જ્યારે સર્વથા આવરણરહિત થાય છે ત્યારે સર્વપ્રત્યક્ષ હોય છે અને સર્વ કર્મઅંશ જતાં જ તે શુદ્ધ થાય છે. એમ કહેલ છે. અઘાતિકર્મ હોવા છતાં પણ કે કેવળજ્ઞાન શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com