________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૩]
[ ૩૩૫
રાગ નથી પણ જ્ઞાન ઓછું છે એટલી કર્મધારા છે. આત્માનાં શ્રદ્ધાનજ્ઞાન સમ્યસ્વરૂપ છે તે જ્ઞાનધારા છે ને જેટલો રાગ બાકી છે તેટલી રાગદ્વેષધારા છે.
પહેલે, બીજે ને ત્રીજે ગુણસ્થાને બહિરાત્મપણું છે. પોતે આત્માનો અનુભવ નહિ કરતાં બાહ્યમાં અટકે છે તે બહિરાત્મા છે, આત્માનો અંશે અનુભવ કરે તે અંતરાત્મા છે, પૂર્ણદશા પ્રગટ કરે તે પરમાત્મા છે. શક્તિરૂપે તો બધા પરમાત્મા જ છે-શરીર, મન, વાણી, સંયોગોને પોતાનાં માને તે બહિરાત્મા છે. સ્વરૂપની શક્તિનો ભરોસો કરે ને અંશે નિર્મળ પર્યાય પ્રગટે તે અંતરાત્મા છે ને પૂર્ણ શુદ્ધદશા પ્રગટે તે પરમાત્મા છે.
થોડો ધર્મ ઊઘડયો છે ને ધોડો ધર્મ ઊઘડયો નથી એવી દશાને મિશ્રદશા કહે છે.
હું આત્મા અખંડાનંદ છું, આનંદકંદ છું-એવી શ્રદ્ધા થઈ છે પણ રાગદ્વેષ હજી રહ્યા છે, કષાયભાવ સર્વથી ટળ્યો નથી. જેટલો કષાયઅંશ છે તેટલી રાગદ્વેષધારા છે. સમયસાર કળશ ૧૧૦ માં જે વાત છે તેનું આ સ્પષ્ટીકરણ છે. આત્મા વસ્તુએ પરમાત્મા છે પણ પર્યાયમાં પરમાત્મા નથી. ચોથે ત્રણ કષાય બાકી છે, પાંચમે બે કષાય બાકી છે, મુનિને એક સંજ્વલકષાય છે. દસમાં ગુણસ્થાન સુધી રાગ હોય છે. મેડી ચડવામાં દાદરના પગથિયાં હોયછે, તેમ આત્માની પૂર્ણદશા પહોંચવા માટે ચૌદ પગથિયાં છે, તેમાં પહેલેથી ત્રણ સુધી બહિરાત્માપણું છે, ચોથાથી બારમા સુધી અંતરાત્મદશા છે ને તેરમે તથા ચૌદમે ગુણસ્થાને પરમાત્મદશા છે. દસમે અવ્યક્ત રાગ છે. અહીં સાધક જીવની વાત કરે છે. જેટલો રાગદ્વેષ છે તેટલો બાધક છે, આત્મા શુદ્ધ ચિદાનંદની પ્રતીતિ થઈ તેટલો આનંદ છે. શ્રદ્ધા આનંદને સ્વીકારે છે પણ હજી રાગ બાકી રહ્યો છે, તે કર્મના કારણે રાગ રહ્યો નથી. મલિન પર્યાય સર્વથા છૂટી નથી. દસમા ગુણસ્થાન સુધી કષાયભાવ રહેલ છે, ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા મુખ્ય છે. ચોથા ગુણસ્થાને પૂજા-પ્રભાવના આદિનો વિકલ્પ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com