________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ]
શ્રી અનુભવ પ્રકાશ વળી ચોથે અને પાંચમે આર્ત અને રૌદ્રધ્યાન હોય છે, ને છક્કે આર્તધ્યાન હોય છે પણ તેની ગૌણતા છે, દ્રવ્યસ્વભાવની મુખ્યતા છે, તેથી શ્રદ્ધાભાવ મુખ્ય છે ને કષાયભાવ ગૌણ છે-માટે કષાયને ગૌણ કહી વ્યવહાર કહી અભૂતાર્થ કહેલ છે. સમ્યગ્દર્શન થયું કે તુરત જ સર્વ પર્યાયો પૂર્ણ નિર્મળ થઈ ગઈ એમ નથી, જેટલો રાગ છે તેટલો દોષ છે.
અહીં કહે છે કે આત્માની શ્રદ્ધા થવી તે મુખ્યભાવ છે. અલ્પ રાગ ગૌણ છે. અખંડભાવ પૂરો થયો નથી, પરમાત્મદશા થઈ નથી, થોડો ધર્મ પ્રગટયો છે ને થોડો પ્રગટયો નથી, માટે તેને મિશ્રધર્મ કહે છે. તે ચોથાથી બારમા સુધી હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com