SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૩૩૪ ] [ શ્રી અનુભવ પ્રકાશ છે. એક જ્ઞાનપર્યાયમાં અનંતા ગુણોનું સામર્થ્ય, અનંતા ગુણોનું જ્ઞાન ને અનંતા ૫૨ પદાર્થોનું જ્ઞાન આવી જાય છે. લોકાલોક છે માટે જ્ઞાન છેએમ નથી. જ્ઞાન નિરપેક્ષપણે કામ કરે છે. દરેક આત્મા પોતાની પ્રભુત્વશક્તિથી ભરેલો છે. અનંતા ગુણો અનંત મહિમાને ધારે છે. એ નિજધર્મના મહિમાને કયાં સુધી કહીએ ? એકદેશ નિજધર્મ કરતાં સંસાર પાર થાય છે. આત્મા આનંદકંદ છે; એવા આત્માનો અંશે આનંદ આવ્યો ને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટયું તેને કેવળજ્ઞાન પ્રગટયા વિના રહે નહિ. જેમ બીજ ઊગતા પૂર્ણિમા થાય છે, તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ અથવા અંશે શુદ્ધતા પ્રગટતાં સર્વશુદ્ધ દશા પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થયે સિદ્ધપદ થાય જ થાય-માટે તેની અનંત મહિમા છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે શુભભાવ આસ્રવ છે, તેનો મહિમા નથી પણ જે સમ્યગ્દર્શન ને જ્ઞાન પ્રગટયું તેનો મહિમા છે. તે જ્ઞાન વધીને કેવળજ્ઞાન થશે. માટે આત્માનાં શ્રદ્ધાજ્ઞાન કરી નિજધર્મ ધારી પરમેશ્વરપદને પ્રગટ કરો. આવા નિજધર્મની ધારણા કેવી રીતે હોય ? આત્માના અનુભવથી નિજધર્મની ધારણા થાય છે. કેરીના જ્ઞાન વિના કેરીનો ખ્યાલ ન આવે, તેમ આત્માના જ્ઞાન વિના આત્માનો ખ્યાલ ન આવે. આત્મા રાગરહિત છે-એમ જ્ઞાન કરે તો અનુભવ થાય. ધારણા એટલે ધારી રાખવું, તે અનુભવથી થાય છે. સ્વભાવશક્તિની પ્રતીતિ ને રમણતાથી વ્યવહારથી, વજકાયથી કે પુણ્યથી અનુભવ અનુભવસાર સિદ્ધિ અર્થે નિજધર્મ અધિકાર કહ્યો. અનુભવ થાય છે. થતો નથી. માટે અહીં કોઈ પ્રશ્ન કરે કે-સમ્યગ્દર્શન થતાં તરત જ સર્વથા રાગરહિત દશા પ્રગટ થઈ જતી હશે કે રાગ બાકી રહેતો હશે ? સમાધાનઃ- સાધકદશામાં જ્ઞાનધારા ને કર્મધારા બે પ્રવર્તે છે. બારમાં ગુણસ્થાન સુધી બન્ને ધારા છે. બારમે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy