________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮]
[ શ્રી અનુભવ પ્રકાશ પરમધર્મ - આત્માએ બધા ધર્મોને પ્રગટ જાણ્યા. જડને પોતાના ધર્મની ખબર નથી. પરમાણુમાં આ ધર્મ છે, ધર્મદ્રવ્યમાં આ ધર્મ છેએમ આત્મા જાણે છે. વળી આ રાગ થયો, આ દ્રષ થયો-તે બધાને જ્ઞાન જાણે છે, માટે જ્ઞાન આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે. પાંચ દ્રવ્યો જડ છેએવી જાહેરાત આત્માએ કરી. –આમ બધા પદાર્થોના સ્વભાવને પ્રગટ કર્યા. આવો ઉત્કૃષ્ટ ધર્મ જીવમાં હોય છે, જડમાં હોતો નથી. માટે પરમધર્મ નિજધર્મ છે.
(૫) હિતધર્મ - મારો આત્મા ચિદાનંદસ્વરૂપ છે, તેની શ્રદ્ધાથી હિત થાય છે. પૈસા આદિથી હિત ન માને પણ પોતાથી હિત થાય છેએમ માને તેને હિતધર્મ કહે છે. હિતધર્મ જીવની પર્યાયમાં રહે છે. વ્યવહારથી કે નિમિત્તથી હિત થાય એમ માનવું તે મિથ્યાભાવ છે. મારા નિજરૂપથી શાંતિ થાય છે, - એવી પ્રતીતિ, જ્ઞાન અને રમણતાને હિતધર્મ કહે છે. તે જીવનો નિજધર્મ છે. આમાં જ્ઞાનની ક્રિયા આવે છે, ખોટી ક્રિયાનો નિષેધ થાય છે. હિતરૂપ દશા જીવમાં હોય છે. પરમાણુને હિત-અહિત નથી. ઘઉંનો લોટ ઘીમાં શેકવાથી શીરો થાય તો તે લોટના પરમાણુનું કાંઈ હિત થતું હશે? ના, જડમાં હિતપણું નથી. આત્મા અનંત જ્ઞાનસ્વરૂપ છે-એવી શ્રદ્ધા હિતરૂપ છે. અજ્ઞાની પરથી સુખ માનતો તે અહિતરૂપ હતું. સાચી શ્રદ્ધાથી હિત થાય છે. ખરાબ પરમાણુ પલટીને સારા થઈ જાય તોપણ પરમાણુમાં હિત નથી. આત્મામાં હિતરૂપ ધર્મ છે. જે વ્યવહારનો રાગ આવે છે, દયા-દાનાદિના તથા કામ-ક્રોધના પરિણામ ઊઠે છે તે અહિતરૂપ છે. પોતે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ છે, તેની શ્રદ્ધાથી હિતરૂપ ધર્મ પ્રગટે છે. લોકો કહે છે કે અમો પરનું હિત કરી શકીએ છીએ સારી ઓળખાણ હોય અથવા સારાં સગાં મળે તો હિત થાય-તે બધી માન્યતા ભ્રમ છે. હિતધર્મ પોતામાં છે. જ્ઞાનાનંદસ્વભાવ હિતેચ્છુ છે. પોતાની પર્યાયમાં થતો શુભરાગ પણ હિતેચ્છુ નથી તો પછી પરપદાર્થોને તો હિતેચ્છુ કેમ કહેવાય? ન જ કહેવાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com