________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૨].
[૩૨૯ (૬) અસાધારણ ધર્મ- આત્માનાં જ્ઞાન, દર્શન, સુખ બીજાં દ્રવ્યોમાં નથી, માટે અસાધારણ ધર્મ આત્મામાં છે. તેમ જ એક જીવનાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ બીજી જીવમાં નથી. –એવો અસાધારણ ધર્મ જીવમાં છે, તેને નિજધર્મ કહે છે.
લોકોએ સત્ય વાત સાંભળી નથી, બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માન્યો છે. એક હીરો ઢાંકીને રાખ્યો હોય ને ઉપર જાના ફાટેલાં ગોદડાં ઢાંકી દીધા હોય ને પટારામાં ઊંડે ઊંડે હીરોને સાચવી રાખ્યો હોય તો તેમાં ગોદડાં આડે હીરો દેખાતો નથી, બહારથી ફાટેલાં ગોદડાં દેખાય છે. શરીર, મન, વાણી, વગેરે ચીંથરા સમાન છે. તેમાં ધર્મ નથી. અંતરમાં આત્મા રત્નસમાન પડયો છે, તેને દેખે ને ઓળખાણ કરે તો ધર્મ થાય તેમ છે. ફાટેલાં ચીંથરાને ચૂંથવાથી હીરો હાથ આવતો નથી, તેમ બાહ્ય ક્રિયાકાંડથી આત્મારૂપી હીરો હાથ આવે એમ નથી, અંતર ઓળખાણ કરે તો આત્મા હાથ આવે ને ધર્મ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com