________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૨]
[૩ર૭ ને શાંતિ પ્રગટે તેને સંસારતારણ ધર્મ કહે છે. શિષ્ય પ્રશ્ન કરેલ હતો કે જીવમાં જ્ઞાન, દર્શનને નિજધર્મ કહો છો તો બધાં દ્રવ્યોના સ્વભાવને નિજધર્મ કહો ને? તેનો ખુલાસો આપ્યો કે આત્મા દુઃખથી બચી જાય ને સંસારથી તરી જાય તેવો તારણધર્મ આત્મામાં છે. માટે તેને નિજધર્મ કહીએ છીએ.
(૨) સજીવધર્મ - આત્મા પોતાના ચેતનાપ્રાણથી જીવે છે. જાણવું-દેખવું તે જીવનો સ્વભાવ છે, તે સ્વજીવનો ધર્મ છે, માટે તેને નિજધર્મ કહે છે. શરીર હું નથી, રાગદ્વેષ અને અલ્પજ્ઞપણું મારું સ્વરૂપ નથી, હું તો પરિપૂર્ણ જાણનાર છું. સજીવ એટલે જાગતો ધર્મ છે, ચેતનાર છે. રાગદ્વેષ થાય તેને પણ જાણે એવો ધર્મ છે. જાણવાની અધિકાઈ થતાં ને રાગદ્વેષની હીનતા થતાં સજીવધર્મ પ્રગટે છે. અહો, રાગ-દ્વેષ, પુણ્ય-પાપને જ્ઞાનની અધિકાઈથી હું જાણું છું, શરીરની ક્રિયાને હું કરતો નથી, તે બધી ક્રિયાને જાણું છું, એવો જાગતો ધર્મ જીવમાં છે. ચૈતન્ય-જાગૃતધર્મ પ્રગટેલા સાધકને નબળાઈથી રાગ થઈ આવે છે ને પર ઉપર લક્ષ જાય છે, તે રાગને ધર્મ કહેતા નથી. હું તો નિર્મળાનંદ છું-એવા શુદ્ધ ચૈતન્યના લક્ષે વિકારથી બચી ગયો તે તારણધર્મ છે ને બીજો ધર્મ જાગ્રતધર્મ છે. શરીરાદિને તથા વિકારાદિને જાણનાર છું. આમ અનંતા ધર્મોને જાણીને સ્વમાં એકાગ્ર થાય તેને સજીવધર્મ પ્રગટે છે. આ ધર્મ અજીવ પદાર્થોમાં હોતો નથી.
(૩) પ્રકાશધર્મ- હું ત્રિકાળ જ્ઞાનાનંદ છું એમ જાણે ને જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહે તેને પ્રકાશધર્મ કહે છે. તે જીવમાં હોય છે. પોતે પોતાના ધર્મને જાણે ને પરના ધર્મને પણ જાણે તે પ્રકાશધર્મ છે. હું જ્ઞાતા છું, શરીરાદિ તથા રાગદ્વેષનો જાણનાર છું, પરનો કર્તા નથી, હું તો સ્વ-પરનો જાણનાર છું. –એવા પ્રકાશધર્મને નિજધર્મ કહે છે. આત્મા સ્વ-પરને જાણનારો છે. વ્યવહારરત્નત્રયને પરશય તરીકે જાણું ને પોતાને સ્વય તરીકે જાણે આમ જ્ઞાન યથાર્થ થતાં અંદર સ્થિર થયું તે ધર્મ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com