________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૧]
[ ૩૨૩ બીજાના ધર્મો તું ધારી શકે છે? ના. ધર્મી જીવને અલ્પ રાગ થાય છે, પણ રાગ રહિત સ્વભાવનું જોર વર્તતું હોવાથી તે અનંતા ગુણોને ધારી રાખે છે-સ્વભાવની પૂર્ણતાની શક્તિને ધારી રાખે-ટકાવી રાખે તેને ધર્મ કહે છે.
ધર્મ વિના ધર્મ હોતો નથી, જેને ધર્મી જીવ પ્રત્યે પ્રેમ વર્તે છે. તેને ધર્મ પ્રત્યે પ્રેમ વર્તે છે, ધર્મી જીવ પ્રત્યે અણગમો વર્તે છે તેને ધર્મ પ્રત્યે દ્વેષ વર્તે છે. તેને પોતાનો ધર્મ રચ્યો નથી, પણ દ્વેષને તેણે ધારી રાખ્યો છે. ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા, તે આત્મા વિના ન હોય. ધર્મીને બીજા ધર્મી પ્રત્યે ભૂમિકાને યોગ્ય પ્રેમ આવ્યા વિના રહેતો નથી. રાગનો પણ તે કાળ છે. “અશુભવંચનાર્થમ્” એમ લખાણ આવે છે તે વ્યવહારની ભાષા છે. અશુભભાવ થતો હતો ને તેને ટાળ્યો એમ નથી; અશુભના વ્યય વખતે શુભ હોય છે એવો તેનો કાળક્રમ છે. ધર્મી જીવ સમજે છે કે મારો ધર્મ મારાથી છે; રાગથી નથી; એમ અનંતા જીવો પણ દ્રવ્યસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાનથી ધર્મદશા પામ્યા છે. નિમિત્ત ને રાગથી ધર્મ થતો નથી. મુનિએ નિજધર્મ ધાર્યો છે, શરીરને ધાર્યું નથી, વિકલ્પને ધાર્યો નથી. અનંતા ગુણોને પોતાનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતામાં ધારી રાખ્યા તે ધર્મ છે. શરીરની ક્રિયા કરી શકે કે છોડી શકે તે આત્માના અધિકારની વાત નથી. રાગ રાગના કાળે થાય છે, પણ જે વીતરાગતા થાય છે તે ધર્મ છે. સાધક જીવને રાગ વખતે અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ આવે છે પણ દ્વેષ આવતો નથી, દ્વેષ આવે તો તે ધર્મી
નથી.
દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ધારે છે. આત્મા પોતાનો સ્વભાવ ધારણ કરે છે, અજીવ તેનો સ્વભાવ ધારણ કરે છે. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનો ધર્મ પરથી નથી ને પરની પર્યાય આત્માથી નથી. અહીં ધર્મ એટલે સ્વભાવ અથવા ગુણ-પર્યાય. દરેક દ્રવ્ય પોતાનો સ્વભાવ પોતે ધાર્યો છે, બીજાએ ધાર્યો નથી, એમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com