________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૧૩, મંગળ ૨૭-૧-૫૩
પ્ર.-૫૨
આત્માનો ધર્મ કોને કહેવો ? જાણવું, દેખવું ને રાગદ્વેષરહિત દશામાં ઠરવું તે ધર્મ છે.
પ્રશ્ન:- તમોએ ધર્મની વ્યાખ્યામાં કહ્યું કે દેહ, મન, વાણીની ક્રિયા થાય કે વિકાર થાય તે ધર્મ નથી પણ અખંડ શુદ્ધ ચિદાનંદનાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે ધર્મ છે. તો પછી જેમ આત્મામાં નિજ ધર્મો છે, તેમ પુદ્દગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ધર્મ છે. તો તેને ધર્મ કેમ ન કયો ? આત્માનાં જ્ઞાન, દર્શન અને રાગરહિત દશાને નિજધર્મ કહો છો, પણ બધા પદાર્થોનો જે જે સ્વભાવ છે તે તે નિજધર્મ છે, તો બધાને નિજધર્મ કહો, પણ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ નિજધર્મ કહો નહિ. એમ પ્રશ્ન કરે છે.
સમાધાનઃ- દરેક દ્રવ્યનો સ્વભાવ પોતપોતામાં છે. ત્રિલોકનાથે છ દ્રવ્યો જોયાં છે ને વાણીમાં તેમ જ આવેલ છે. તેનો જે જે સ્વભાવ તે તે નિજધર્મ કહેવાય, પણ અહીં તેની વાત નથી. અહીં તો જે આત્માને તારે તેને નિજધર્મ કહીએ છીએ. પુદ્ગલમાં ગમે તે ફેરફાર થાય તોપણ તેને દુ:ખ નથી. અહીં આત્માની વાત છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં રહેતાં સંસારથી બચી જાય તેને નિજધર્મ કહે છે. અજીવને દુ:ખ નથી. શરીર હાડકાં અને માંસથી ભરેલું છે, તે ગમે તે રૂપે થાય, તેનો ધર્મ તેની પાસે છે, પણ તારણધર્મ જીવમાં છે. જીવને સંસારથી બચાવી મોક્ષદશામાં લઈ જાય તે ધર્મ છે.
વળી સજીવધર્મ જીવમાં છે. પોતાને તથા ૫૨ને જાણે એવો પ્રકાશધર્મ જીવમાં છે. પુણ્ય-પાપ ટળી સંવર અને શાંતિ પ્રગટે તેવો તિરૂપ ધર્મ જીવમાં છે. અસાધારણ ધર્મ,
અવિનાશી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com