________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૧]
[ ૩૨૧ ધર્માસ્તિકાય અજીવ છે, તેને લીધે જીવની ગતિ થતી નથી. જીવમાં ક્રિયાવતી શક્તિ છે, તેને લીધે ક્ષેત્રમંતર થાય છે તે ધર્માસ્તિકાયથી થતું નથી. કાળને લીધે પદાર્થોમાં પરિણમન માનવાથી ને અધર્મદ્રવ્યને લીધે જીવ સ્થિર થાય છે એમ માનવાથી નવતત્ત્વ રહેતાં નથી. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અજીવ છે, તેને સ્વતંત્ર માનવા જોઈએ. ત્રણે કાળના પદાર્થોને સ્વતંત્ર માનવા જોઈએ.
વળી ત્રણ કાળના દ્રવ્ય-ગુણ-પર્યાયને જેમ છે તેમ જ્ઞાન જાણે. ગુણને પર્યાય ન જાણે, દ્રવ્યને ગુણ ન જાણે, એક ગુણ આખો પર્યાયમાં આવી જતો નથી. ભૂતપર્યાયને લીધે વર્તમાન પર્યાય થતી નથી ને વર્તમાન પર્યાયને લીધે ભવિષ્યની પર્યાય થતી નથી. મોક્ષમાર્ગની પર્યાયને લીધે મોક્ષ થયો માને તો મોક્ષમાર્ગ જે સંવર-નિર્જરા છે ને મોક્ષ જે મોક્ષતત્ત્વ છે-એ બન્ને એક થઈ જતાં નવ પદાર્થો પૃથક રહેતા નથી. એક પર્યાયને લીધે બીજી પર્યાય માને તો ત્રણ કાળની પર્યાય ભિન્ન ભિન્ન રહેતી નથી, પર્યાયનો નાશ થઈ જાય છે. સમ્યગ્દર્શન થયું માટે ચારિત્ર થયું? ના. દરેક ગુણ ભિન્ન ભિન્ન છે, પર્યાય ભિન્નભિન્ન છે–એમ જ્ઞાન જાણે.
દરેક સમયના ઉત્પાદને ઉત્પાદ, વ્યયને વ્યય અને ધ્રુવને, ધ્રુવ જાણે. વ્યય કારણ ને ઉત્પાદ કાર્ય એ અહીં લેવું નથી. વ્યયથી ઉત્પાદ કહો તો વ્યય ને ઉત્પાદ રહેતા નથી. ધ્રુવથી ઉત્પાદ કહો તો ધ્રુવ ને ઉત્પાદ રહેતા નથી. દરેક જુદાં જુદાં જ્ઞાન જાણે.
આમ જ્ઞયની વાત આગમમાં લખી છે, પખંડ આગમમાં ને સમયસારાદિમાં આ વાત કહી છે. જ્ઞાતું યોએ ડ્રેય જ્ઞાનમાં જણાવાયોગ્ય તેને શેય કહીએ છીએ.
શય સામાન્ય પ્રકારે એક છે. હવે બે ભેદ પાડે છે–આત્મા સિવાય બીજા પદાર્થો શેય છે એમ જ્ઞાન જાણે છે. જેમ છે તેમ જ્ઞાન જાણે, પરને પર તરીકે જાણે પણ પરનો અનુભવ ન હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com