________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦]
[ શ્રી અનુભવ પ્રકાશ અજ્ઞાની માને છે. દ્રવ્યપુર્ણ અજીવતત્ત્વ છે. પુણ્યરૂપી અજીવતત્ત્વથી શરીર (બીજ અજીવ) ભગવાન પાસે જતું નથી. વળી વાણી અજીવતત્ત્વ છે. તેનાથી સમ્યગ્દર્શન માને તે જીવ, અજીવ તથા સંવરને એક માને છે. રાગથી પૈસો મળે એમ માને તો પાપ ને અજીવ એક થઈ જાય. રાગથી સુખ માને તો પાપ ને સંવર એક થઈ જાય. એક તત્ત્વમાં ભૂલ કરે તેની નવેમાં ભૂલ થાય છે. નવે પદાર્થ સત્ છે માટે કોઈ કોઈનો આશ્રય લેતું નથી. જીવ ત્રિકાળ શુદ્ધ આનંદકંદ પરમાત્મા છે, વિકારથી અવિકારી દશા પ્રગટે એમ માને તો તે નવ પદાર્થોને માનતો નથી. આત્મામાં જે પર્યાય પ્રગટ થાય તે તેનો સ્વકાળ છે, - તેમ જાણવું. પૈસા અજીવ છે, તેને લીધે આકુળતારહિત ધર્મ થઈ શકે એમ માનનાર મૂઢ છે હું છું તો દુકાનની વ્યવસ્થા ચાલે છે એમ માનનાર મૂઢ છે. જીવે રાગ કર્યો માટે કર્મ બંધાયું તે વાત ખોટી છે. કર્મ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવતત્ત્વ છે, એકબીજાને પરાધીન નથી. આમ વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ.
મુનિપણાની જે પર્યાય છે તેથી વિપરીત જાણે તો જ્ઞાન ખોટું છે. અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની પર્યાય જેમ છે તેમ જ્ઞાન જાણે. નવપદાર્થમાં નવેને પૃથક જાણે તો યથાર્થ છે. કર્મ આદિ પદાર્થ અજીવ છે. તેવા અનંતા અજીવ છે. એક અજીવથી બીજો અજીવ પદાર્થ ચાલે તો અનંતા અજીવ રહેતા નથી. સ્વતંત્ર પદાર્થો માને તો અજીવને યથાર્થ માન્યા કહેવાય આમ નવેને જેમ છે તેમ જાણવા જોઈએ.
વળી જીવ શુદ્ધ કારણપરમાત્મારૂપ છે ને તેની પર્યાયમાં થતાં રાગદ્વેષ તે આસ્રવતત્ત્વ છે. જીવ ને આસ્રવ બન્ને ભિન્ન પદાર્થ છે. વળી કર્મનું જોર છે માટે રાગદ્વેષ થાય છે એમ પણ નથી. આમ જીવ, અજીવ, આસ્રવ વગેરેને પૃથપણે જ્ઞાન જાણે છે.
કર્મનું જોર છે માટે પુરુષાર્થ થઈ શક્તો નથી. એમ માનનાર પદાર્થોને સ્વતંત્ર માનતો નથી. જીવ સ્વતંત્ર, વિકાર સ્વતંત્ર ને કર્મ સ્વતંત્ર છે-એમ તે માનતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com