________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૧]
[૩૧૯ (જુદાં તત્ત્વો કહેવાં છે. સંવર પણ છે એમ કહેવું છે, જીવ પણ છે” એમ કહેવું છે; કોઈને લીધે કોઈ નથી.). | મુનિની દશામાં ત્રણ કપાય ટળે છે. તે સંવરદશામાં રાગ ઘણો મંદ થઈ જાય છે, તેને વસ્ત્ર-પાત્ર હોતાં નથી-એમ માનવું જોઈએ. આધાકર્મી કે ઉશિક આહાર મુનિને હોય એમ જે માને તેને નવે તત્ત્વની ભૂલ છે. ઉશિક આહાર લેવાનો તીવ્ર રાગ આવવા છતાં તેને છઠ્ઠી ભૂમિકાનો મંદ રાગ માન્યો તે આસ્રવતત્ત્વની ભૂલ છે.
વળી મુનિને નિર્દોષ આહાર જ હોય, છતાં ઉશિક આહાર માને તે અજીવમાં ભૂલ છે. વળી મુનિદશામાં ઘણો મંદ રાગ બાકી રહ્યો છે ને અકષાયી દશા થઈ છે એમ પણ તેણે યથાર્થ ન માન્યું તે સંવરનિર્જરામાં ભૂલ છે. વળી શુદ્ધ જીવતત્ત્વને પણ ન માન્યું. ઉશિક આહારનો તીવ્રરાગ માન્યો તેથી નિમિત્તરૂપે તીવ્રકર્મનો ઉદય માન્યો પણ ખરેખર તો કર્મનો મંદ ઉદય છે. માટે તેની અજીવતત્ત્વમાં ભૂલ છે-વગેરે પ્રકારે નવેમાં ભૂલ આવે છે.
કર્મને લીધે રાગ થાય છે એમ જેણે માન્યું તેણે ભૂતકાળમાં પણ અનંતા જીવોને કર્મથી રાગ થયો માન્યો-એમ ત્રણે કાળમાં નવતત્ત્વનો ખીચડો કરે છે. ઈચ્છાથી શરીર ચાલે છે એમ માનનાર ત્રણે કાળના તત્ત્વનો ખીચડો કરે છે. છઠ્ઠી ગુણસ્થાને ૨૮ મૂળગુણનો વિકલ્પ તે આસ્રવતત્ત્વ છે. તે છે તો સંવરતત્ત્વ ટકી રહ્યું છે એમ માને તો મોટી ભૂલ છે. સંવરતત્ત્વ ભિન્ન છે. આમ અજ્ઞાની ત્રણે કાળના તત્ત્વોમાં ભૂલ કરે છે.
એક તત્ત્વને મિશ્ર કરે તો નવેમાં ભૂલ થાય છે. નિમિત્તનૈમિત્તિકસંબંધમાં ભૂલ કરનાર નવેમાં ભૂલ કરે છે. જડકર્મની પર્યાય સ્વતંત્ર છે. નૈમિત્તિકદશા આત્મામાં થાય તે પણ સ્વતંત્ર છે. સંવરનિર્જરા અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે; આસ્રવ-બંધ મલિન પર્યાય છે, -એમ ન માનતાં પુણ્યકર્મ બાંધશું તો ભગવાન પાસે જઈશું ને ત્યાં ધર્મ પામશું એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com