________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૯]
[૩૦૭ અનુભવ કહેવાય છે, પણ ખરેખર આત્મા પરદ્રવ્યને કરે કે ભોગવે-તે માન્યતા મૂઢ જીવોનો વ્યવહાર છે.
યથાર્થ વસ્તુસ્વરૂપ આવું છે કે કોઈ દ્રવ્ય કોઈનું ભોક્તા નથી. આવું ય છે, તેનું યથાર્થ જ્ઞાન કરવું તે અનુભવનું કારણ છે. જગતમાં જેટલાં નામો છે તે કોઈ ને કોઈ પદાર્થને બતાવે છે, એટલે તે જ્ઞય છે. વળી ઉપલક્ષણ તે પણ જ્ઞાનનું જ્ઞય છે. “ધ્યાન રાખજે ! બિલાડી દૂધ ન પી જાય”- એમ કહ્યું ત્યાં બિલાડી કહેતાં ઉપલક્ષણથી કૂતરા વગેરે પણ આવી ગયા. વળી કાળ અને સ્થિતિ તે પણ જ્ઞાનના જ્ઞયો છે. કાળ પણ પદાર્થ છે, તે જ્ઞાનનું ઝેય છે. તેને ન માને તો જ્ઞાનસ્વભાવની ખબર નથી. વળી સંસ્થાન એટલે કે આકાર, દરેક પદાર્થને પોતપોતાનો આકાર હોય છે. તે પણ જ્ઞાનનું જ્ઞય છે. મૂળ વસ્તુનું યથાર્થ જ્ઞાન થયા વિના સમ્યજ્ઞાન થાય નહિ. નવ તત્ત્વ શું? જીવ-અજીવ શું? દેવગુરુ-શાસ્ત્ર શું? તે બધું જાણવું જોઈએ. વિપરીતતા રહિત નિર્ણય કરીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે અનેકુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને છોડે, ત્યારે ગૃહીત મિથ્યાત્વ છૂટે. જે તત્ત્વનું કેવું સ્વરૂપ હોય તે પ્રમાણે જાણવું જોઈએ. વળી પદાર્થનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પણ જાણવા જોઈએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ તે ચાર પ્રકારો જ્ઞાતાનું ય છે.
સંજ્ઞા એટલે પદાર્થનું નામ, તથા તેની સંખ્યા, તેનું લક્ષણ અને તેનું પ્રયોજન તે બધાને પણ જાણવાં જોઈએ.
વસ્તુનો સ્વભાવ છે એટલે દરેક પદાર્થ પોતાના દ્રવ્ય-ગુણપર્યાયથી તસ્વરૂપે છે. અને પરદ્રવ્યથી તે અતસ્વરૂપે છે. એવું વસ્તુસ્વરૂપ તે જ્ઞાનનું શય છે.
વળી પદાર્થ સ્વથી અતિરૂપ છે, પરથી નાસિરૂપ છે, ઇત્યાદિ સમભંગ છે તે જાણવા એમ સામાન્ય ગુણોથી સિદ્ધિ છે.
પદાર્થ સત્તારૂપ છે. સત્તાના મહાસત્તા અને અવાંતરસત્તા એવા બે ભેદ છે. મહાસત્તા એટલે કે બધું છે. આમ કેમ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com