________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦]
[ શ્રી અનુભવ પ્રકાશ કારણે વિશેષ થાય- એ વાત ક્યાં કહી ? વિશેષ એટલે અવસ્થા તે પદાર્થનું સ્વરૂપ છે. સંસાર-મોક્ષમાર્ગ-મોક્ષ, નિગોદ, સિદ્ધ, સોનુંવિષ્ટા તે બધી પદાર્થોની અવસ્થા છે, તે પદાર્થનો જ વિશેષ
સ્વભાવ છે. પરને કારણે તે અવસ્થાઓ થતી નથી. આવું વસ્તુ સ્વરૂપ તે સમ્યજ્ઞાનનું શેય છે. જેમાં ગુણ-પર્યાય વસે તેનું નામ વસ્તુ. વસ્તુ પોતાના ગુણ-પર્યાયમાં વસે છે, પણ પરના ગુણ-પર્યાયમાં રહેતી નથી. તેમ જ વસ્તુના ગુણ-પર્યાયો વસ્તુમાં જ રહે છે, પરમાં રહેતા નથી. એટલે પર્યાય કોઈ પરના કારણે થતી નથી, પણ પોતાના કારણે જ થાય છે. સામાન્ય-વિશેષ સ્વરૂપથી વસ્તુનું વસ્તુત્વ છે.
દ્રવ્યના ભાવને ધરે છે તેથી દ્રવ્યત્વ છે. દ્રવ્યનું દ્રવ્યત્વ પરના ભાવને ધરતું નથી, આત્મા આત્માના ભાવને ધરે છે, ને પરમાણુ પરમાણુના ભાવને ધરે છે. વસ્તુ પોતાના દ્રવ્યત્વભાવને ધારણ કરે તેથી તેનામાં દ્રવ્યત્વ છે. નિમિત્ત અને ઉપાદાન બન્ને જુદાં રહી સ્વતંત્રપણે પોતપોતાના દ્રવ્યના ભાવને ધારણ કરે, બીજાના ભાવને ન ધરે, એવું જ દ્રવ્યત્વ દરેક દ્રવ્યનું છે. ત્રણકાળત્રણલોકમાં આત્મા, પરમાણુ ઇત્યાદિ બધાંય દ્રવ્યો પોતાના જ ભાવને ધરે છે- એવો નિયમ છે.
પ્રમેયના ભાવને ધારે, પ્રમાણજ્ઞાનમાં જણાવાને લાયકપણું ધારે તે પ્રમેયરૂપ છે. રાગ, પુષ્ય, પાપ, દયાના ભાવાદિ જે થાય તે પણ જ્ઞાનમાં જણાવાલાયક પ્રમેયપણું ધારે છે, પણ જ્ઞાન તેને ઉત્પન્ન કરે, નાશ કરે કે રાખે એવું જ્ઞાનનું કાર્ય નથી. આ નિમિત્ત છે, આ વ્યવહારરત્નત્રયનો શુભરાગ છે- એમ જ્ઞાન જાણે પણ તેનાથી જ્ઞાન થાય કે નિશ્ચય મોક્ષમાર્ગ થાય- એમ નથી.
કોઈ કહે છે કે પ્રથમ વ્યવહાર જોઈએ પછી નિશ્ચય થાય, પણ અનાદિરૂઢ પરાશ્રયરૂપ વ્યવહાર તો છે, તે કાંઈ નવો-અપૂર્વ નથી તેથી તેનાથી ધર્મની શરૂઆત કદી થઈ શકે નહિ. વ્યવહાર,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com