________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૯, શુક્ર ૨૩-૧-૫૩
પ્ર. -૪૮
આ શેયનો અધિકાર છે. જ્ઞાતું યોગ્યે શેય એટલે જ્ઞાનમાં જણાવાયોગ્ય પદાર્થો તે જ્ઞય છે. શેયોનું યથાર્થ જ્ઞાન થતાં પરથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે. પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ છે. વળી દરેક વસ્તુ ગુણપણે અનેક છે ને વસ્તુપણે એક છે. વળી ગુણભેદ વડે ભેદરૂપ છે ને અભેદ વસ્તપણે અભેદરૂપ છે. આવું ભેદ–અભેદપણું તે પદાર્થનું સ્વરૂપ છે, તે કોઈ પરને લીધે નથી.
પદાર્થ દ્રવ્યપણે નિત્ય છે ને પર્યાયપણે અનિત્ય છે. આવું નિત્ય-અનિત્યપણું તે પદાર્થનું સ્વરૂપ છે- એમ જ્ઞાન જાણે છે. સંયોગના કારણે અનિત્યતા છે- એમ નથી, પણ પોતાના જ કારણે વસ્તુમાં અનિત્યતા છે, એટલે પર્યાયનો પલટો થવાનો તેનો સ્વભાવ છે, તે પરને લીધે નથી. આવું જ્ઞયનું સ્વરૂપ જાણવું તે સમ્યજ્ઞાનનું કારણ છે. પદાર્થની પર્યાય પરના કારણે થાય છે એમ માને તો તેણે શેયના સ્વરૂપને જાણ્યું નથી, તે મિથ્યાજ્ઞાન છે. શુદ્ધ નિશ્ચયથી વસ્તુ શુદ્ધ છે. વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે. ત્રિકાળી દ્રવ્ય-ગુણ સામાન્ય છે અને પર્યાય તે તેનું વિશેષ છે, તે વસ્તુના જ કારણે છે, પરના કારણે નથી.
વસ્તુપણે નિત્ય સામાન્ય અને પર્યાય અપેક્ષાએ વિશેષરૂપ છે. વિશેષ અવસ્થા કોઈ પરને લઈને થાય એ વાત રહેતી નથી. ઉપાદાનનિમિત્તનો ખુલાસો પણ આમાં આવી જાય છે. નિમિત્ત આવે તો કાર્ય થાય, તો પછી વસ્તુનું વિશેષ ક્યાં રહ્યું? વસ્તુ પોતે જ સામાન્યવિશેષસ્વરૂપ છે, તો પરને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com