________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૪ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
નથી પણ સ્વભાવના અવલંબને પૂર્ણ શુદ્ધતા પ્રતીતમાં ને જ્ઞાનમાં આવી ગઈ છે અને અલ્પકાળમાં રાગાદિનો અભાવ કરીને સાદિ અનંત પૂર્ણ શુદ્ધતા વ્યક્ત થઈ જશે.
અરિહંતને અવગાહપણું હજી વ્યક્ત થયું નથી, શરીરનું નિમિત્ત હજી છે અને આયુકર્મ નિમિત્ત છે, પણ જ્ઞાનમાં તો સાદિઅનંત અવગાહપણું વ્યક્ત આવી ગયું છે.
ગોત્રકર્મના નિમિત્તે હજી અગુરુલઘુ સ્વભાવ વ્યક્ત થયો નથી, પણ જ્ઞાનમાં તેની સાદિઅનંત સ્વભાવદશા વ્યક્તપણે જણાઈ ગઈ છે. આવા સર્વજ્ઞની પ્રતીત કરનાર કહે છે કે હે નાથ ! જેમ તારામાં પ્રતિજીવી ગુણોની વિપરીતદશા વર્તમાનમાં હોવા છતાં તારા જ્ઞાનમાં તે શુદ્ધ વ્યક્તપણે જણાઈ ગઈ છે ને અલ્પકાળમાં વ્યક્ત થઈ જશે, તેમ મારામાં પૂર્ણ જ્ઞાનાદિ દશા હજી વ્યક્ત થઈ નથી, પણ પૂર્ણ સ્વભાવ પ્રતીતમાં આવી ગયો છે, તેના અવલંબને અલ્પકાળમાં પૂર્ણ વ્યક્ત થઈ જશે. એ પ્રમાણે સર્વજ્ઞની ઓળખાણ કરાવી સર્વજ્ઞના જ્ઞાન અપેક્ષાએ તેમને ચારે પ્રતિજીવી ગુણો વ્યક્ત કહ્યા, પણ હજી પરિણમનમાં વ્યક્ત થયા નથી.
હવે કહે છે કે-આવા સર્વજ્ઞદેવ ચારે નિક્ષેપથી પૂજ્ય છે. કઇ રીતે? તે કહે છે. નિર્વિકલ્પ ચિદાનંદ નિજપદમાં જે નમે છે- પરિણમે છે, જે પૂર્ણ સ્વભાવનો સત્કાર કરનારો છે, તે ધર્મી જીવને અરહંતપદનું નામ પણ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.
जिन सुमरो जिन चिंतवो जिन ध्यावो सुमनेन । जिन ध्यायंतहि परम पद, लहिये एक क्षणेन ।। વીતરાગનું સ્મરણ સાચું કયારે કહેવાય ? કે રાગ-વિકલ્પની ક્રિયા આદરણીય નથી, ભગવાન તરફનો શુભરાગ પણ મદદગાર નથી, દેહની ક્રિયા હું કરી શકતો નથી, એકલો જ્ઞાતામાત્ર છું, એમ પોતાના એકલા વીતરાગ જ્ઞાયકસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને હું ત્રિકાળ આવો જ છું–એમ નિજપદની ધારણા કરે છે તેને પરમાત્મસ્વરૂપનું સ્મરણ સાચું છે, બીજાનું સ્મરણ પણ ખોટું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com