________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૯]
[૨૪૯ ખ્યાલમાં વર્તે તે દશાને સવિકલ્પ સમ્યક્રતા કહે છે.
વસ્તુ એવી ને એવી શુદ્ધ છે. અનંત કાળ ગયો ને કેટલાકને અનંત કાળ જશે છતાં આત્મવસ્તુ એવી ને એવી છે. જ્ઞાનીને ખરેખર જ્ઞાનનો જ ઉત્પાદ છે. જ્ઞાનીને લડાઈના પરિણામ હોવા છતાં સ્વ-પર પ્રકાશક જ્ઞાન દ્વેષને જાણે ખરું પણ દ્વેષ સાથે તન્મય થતું નથી.
નીચલી દશાવાળા જીવને વિષય વાસનાની વૃત્તિ હોય છે છતાં તે વખતે પણ જ્ઞાનનો પર્યાય જ્ઞાન સાથે અભેદ થઈને ને અશુભ રાગની સાથે તન્મય થયા વિના રાગને જાણે તે સમ્યક સવિકલ્પતા છે. આ દષ્ટિ વિના સાચું જ્ઞાન થશે નહિ ને ચારિત્ર સમ્યક્ થશે નહિ.
વળી જ્ઞાન પોતાના આત્માને જાણે ને નિર્વિકલ્પ અનુભવ વખતે જ્ઞાન જ્ઞાનના અનુભવમાં લીન છે ત્યારે આત્મા વ્યાપક છે ને જ્ઞાનપર્યાય વ્યાપ્ય છે. તે નિર્વિકલ્પમાં સમ્યકતા છે, ત્યાં અબુદ્ધિપૂર્વક રાગની વાત ગૌણ છે.
એકલા પૂર્ણાનંદ આત્માને સર્વ સ્વપણે જાણે ને સર્વ પરને પરરૂપ જાણે ત્યાં ચારિત્રની પૂર્ણ શુદ્ધિ હોય છે. એક સમયમાં એકલા નિજાનંદની પૂર્ણ લીનતા જામી ગઈ ને પરને પરરૂપ જાણી સ્વમાં સર્વથા ઠરે ત્યારે તદ્દન વીતરાગતા હોય છે. ત્યાં ચારિત્ર પરમ શુદ્ધ છે.
વસ્તુ તે વસ્તુ છે, તેના ધ્રુવસ્વભાવી ગુણો ત્રિકાળ છે. મતિશ્રુત ને ચારિત્રનો પર્યાય પરિપૂર્ણ ઠરે તે પરિપૂર્ણ દશા છે. તેમાં પરનું જ્ઞાન આવી જાય છે. આમ યથાર્થ સાંભળે કે આ સિવાય બીજો માર્ગ હોઈ શકે નહિ તો સ્વ તરફ વળવાનો અવકાશ છે.
અજ્ઞાની પરમાં વ્યાપીને જાણે છે એમ કહ્યું છે તેનો અર્થ એમ સમજવો નહિ કે અજ્ઞાની પરમાં વ્યાપે છે પણ તે માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com