________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮]
[ શ્રી અનુભવ પ્રકાશ છે એમ કહેવું તે પણ કહેવામાત્ર છે, ખરેખર તે તેને પણ જાણતો નથી. સમ્યગ્દીષ્ટ દયાદિને જાણે છે. મારૂ જ્ઞાન મારામાં રહીન, પરમાં ભળ્યા વિના જાણે છે. રાગમાં તન્મય થઈને જ્ઞાન કામ કરતું નથી. દયા–દાન કૃત્રિમ છે, આત્માનો સ્વભાવ નથી. જેનો જ્ઞાનપર્યાય સ્વભાવ તરફ વળે છે તેનું જ્ઞાન રાગ તથા પરમાં એકમેક થઈને પરને જાણતું નથી, એકમેક થઈને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ નથી. આમ સમ્યગ્દષ્ટિને ભાન છે.
અજ્ઞાની જીવ દયા, પૂજા, ભક્તિના ભાવ કરે, તેમાં કહે કે આ દયા મેં કરી, પરની ભક્તિ મેં કરી, દયા-દાન-વ્રતના શુભરાગને પોતાનું સ્વરૂપ સમજી અવલંબે છે–શુભભાવ આવે ત્યારે મિથ્યાષ્ટિ જીવ આ રાગ મારું કર્તવ્ય છે–એમ માને છે. મિથ્યાષ્ટિ તેમાં એકાકાર થઈ જાય છે.
ધર્મી જીવ વિકારને અને પુણ્યને અવલંબતો નથી, પણ સ્વભાવને અવલંબે છે. વસ્તુના અવલંબને ચારિત્ર હોય છે પણ દયાદાનના અવલંબને ચારિત્ર હોતું નથી. અજ્ઞાની દયા-દાનના ભાવને ચારિત્ર માને છે.
સમ્યકત્વ સવિકલ્પ ને નિર્વિકલ્પરૂપથી બે પ્રકારે છે.
ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનવાળો જીવ રાગને તથા મહાવ્રતને જાણે છે, તેમાં હું વ્યાપતો નથી, પણ હું મારામાં વ્યાપું છું– એમ પણ જાણે છે તે સવિકલ્પતા છે. રાગમાં પેઠા વિના જાણે છે. તેનો વિસ્તાર રાગમાં નથી. મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગાદિ વિકાર પરરૂપ છે
એમ જાણી જ્ઞાનમાં તન્મય રહે છે તે સવિકલ્પ સમ્યકતા છે. ધર્મીને વિકલ્પ ઊઠયો છે પણ તેમાં પેઠા વિના તેનું જ્ઞાન રાગને જાણે તેને સવિકલ્પ સમ્યકતા કહ્યું છે. એક સમયની જ્ઞાનપર્યાય રાગ સાથે એકમેક થઈને જાણે તે સમ્યજ્ઞાન નથી. સાધક જ્ઞાનીને સર્વથા રાગ મટી ગયો નથી. સર્વથા રાગ મટી ગયો હોય તો સર્વજ્ઞદશા હોય, પણ અધૂરીદશામાં રાગ આવે છે, ત્યારે રાગને પરણેય તરીકે જાણીને બુદ્ધિપૂર્વક રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com