________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૯]
[ ૨૪૭ જેની દષ્ટિ પર ઉપર છે તેના જ્ઞાનનો પર્યાય મિથ્યા છે, તેને સ્વ-પરની ખબર નથી. સ્વ-પરને જાણતું જ્ઞાન પોતામાં વ્યાપે છે પણ પરમાં વ્યાપતું નથી. એમ અજ્ઞાની જાણતો નથી. સ્વ-પરનું જાણવું પોતાનું છે છતાં શરીરાદિ પરમાં તથા રાગમાં એક થતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને કામ કરે છે. તે પરમાં વ્યાપતું નથી છતાં પરને જાણે છે એવી તેને ખબર નથી. અજ્ઞાની તપ ને ત્યાગ કરે પણ તેને સાચા જ્ઞાનની ખબર નથી. જ્ઞાન પરમાં, રાગમાં કે મનમાં લીન થયા વિના સ્વ-પરને જાણે છે એવી તેને ખબર નથી. કદાચિત્ અજ્ઞાની કહે છે કે આ રાગ છે, આ વિકાર છે, આ શરીર છે; એમ વ્યવહારે કહે તોપણ પોતાની જાતને જાણ્યા વિના ખરેખર પરને તે જાણતો નથી. આત્મા વસ્તુ છે, જ્ઞાનગુણ ત્રિકાળ છે ને તેનો પર્યાય પોતામાં રહીને કામ કરે છે. એમ જાણે તો રાગ ને પરમાં વ્યાપતો નથી, પણ સ્વમાં રહીને જાણી લે છે એમ કહેવાય, પણ જ્ઞાન ત્રિકાળ શુદ્ધ છે તેવી મિથ્યાત્વીને ખબર નથી. ગુણગુણી તાદાભ્ય-એકરૂપ છે ને વિકાર, શરીર, મન, વાણીથી તન્મય નથી. આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ થઈ નથી, તેથી અજ્ઞાનીનું જ્ઞાન સ્વમાં તો વ્યાપતું નથી, પણ પરમાં વ્યાપે છે કે નહિ તે પણ જાણતો નથી. પરને ખરેખર જાણતો હોય તો સ્વને જાણતો હોવો જોઈએ. સ્વમાં રહીને પરમાં પ્રવેશ થયા વિના જાણી લે તેવી યથાર્થતા પ્રગટી નથી. અનંત વિકાર કર્યા, વિકલ્પો કર્યા છતાં વસ્તુ તો એવી ને એવી શુદ્ધ છે. એવી ખબર વિના જે જ્ઞાન ઊઘડ્યું હોય તે સ્વ કે પરને જાણતું નથી.
સમ્યગ્દષ્ટિ શરીર તથા રાગાદિને પર જાણે છે. પોતાના જ્ઞાનના અંતઅનુભવમાં રહીને રાગને જાણે છે, રાગમાં જઈને રાગને જાણતો નથી. ચોથા ગુણસ્થાને રહેલો સમ્યગ્દષ્ટિ જીવ આવો હોય છે. મિથ્યાષ્ટિના અજ્ઞાન સામે સમ્યગ્દષ્ટિના જ્ઞાનની વાત કરે છે.
મિથ્યાષ્ટિને જ્ઞાનની જાતની ખબર નથી. તે વિકારને જાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com