________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧૨, સોમ ૧૨-૧-૫૩
પ્ર. -૩૭
આત્માનો આનંદ સ્વભાવ પ્રગટ થવો તે ધર્મ છે. તેમાં સાધકસાધ્ય બોલ ચાલે છે. શાસ્ત્રનો સાચા પ્રકારે અભ્યાસ કરવો, શ્રદ્ધાગુણનું જાણવું તે તેનું ફળ છે.
(૪૮) “શ્રદ્ધાળુણ સાધક છે ને પરમાર્થ પામવો સાધ્ય છે.” આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે એવો વિશ્વાસ થવો તે સાધન છે ને પરમાર્થ પામવો તે તેનું ફળ છે. આત્મા પરિપૂર્ણ આનંદસ્વરૂપ છે એવી પ્રતીતિ કારણ થઈને આખો આત્મા પ્રાપ્ત થાય તેમ છે.
(૪૯) “સાધુપુરુષની સેવા સાધક છે, આત્મહિત સાધ્ય છે.” મુનિની સેવા સાધક છે, તેમાં આત્મહિતનું લક્ષ છે. સ્વરૂપનું રક્ષણ કરે અને વિભાવનો નાશ કરે તે યતિ છે, તેની સેવાથી આત્મહિત થાય છે. સંસારના કોઈ લાભના હેતુથી સાધુની સેવા કરે તો તે સાધક નથી.
(૫૦) “વિનય સાધક છે, વિધાલાભ સાધ્ય છે.” સાચા દેવ-ગુરુનો વિનય કરવો તે સાધક છે, બધા ગુણોને જાણનાર સુવિધાની પ્રાપ્તિ થવી તે સાધ્ય છે. દેવ-ગુરુનું એક વચન સાંભળતાં સ્વરૂપની વિદ્યાપ્રાપ્તિ થાય તેમ છે, માટે તેમનું બહુમાન કરવું તે સાધક છે.
(૫૧) “તત્ત્વશ્રદ્ધાન સાધક છે, નિશ્ચયસમ્યકત્વ સાધ્ય છે.” નવ તત્ત્વોની શ્રદ્ધા કરવાનો હેતુ નિર્વિકલ્પ સમકિત પામવાનો છે, તેનો હેતુ પુણ્યબંધ નથી, સાધક જીવ વિચાર કરે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com