________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨]
[ શ્રી અનુભવ પ્રકાશ જીવ ચૈતન્યમૂર્તિ છે, પર્યાયમાં રાગ છે, તે બધા વિચારનું ફળ આત્મામાં સમ્યગ્દર્શન કે નિર્વિકલ્પ પ્રતીતિ થવી તે છે.
(પર) “દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રતીતિ સાધક છે, તત્ત્વ પામવું સાધ્ય છે.” દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રતીતિ વિકલ્પરૂપે સાધક છે ને આનંદસ્વરૂપ આત્મતત્ત્વને પહોંચી વળવું તે ફળ છે.
(પ૩) “તસ્વામૃત પીવું સાધક છે ને સંસારખેદ મટવો સાધ્ય છે.” તસ્વામૃતનો રસ પીવો સાધક છે, તે પીતાં ખેદ મટી જાય છે-તે તેનું ફળ છે.
(૫૪) “મોક્ષમાર્ગ સાધક છે અને સંસારખેદ મટવો સાધ્ય છે.” આત્માની પ્રતીતિ, સ્વસંવેદનજ્ઞાન ને રાગ રહિત પરિણતિનું ફળ સંસાર મટવો તે છે.
(૫૫) “મોક્ષમાર્ગ સાધક છે ને મોક્ષ સાધ્ય છે.” આત્માની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા સાધક છે, અશુદ્ધ અને અપૂર્ણ પર્યાયનો વ્યય થઈ પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટવી તે તેનું ફળ છે.
(૫૬) “ધ્યાન સાધક છે ને મનોવિકાર વિલય સાધ્ય છે.” આત્માના જ્ઞાનની લીનતા સાધક છે ને મનનો સંગ છૂટી જવો તે ફળ છે. આત્માનું ધ્યાન કરતાં ચિત્તનો સંગ છૂટી જાય, વિકાર વિલય થઈ જાય. ધ્યાનનું ફળ કોઈ લબ્ધિ નથી, પણ રાગનો નાશ થવો તે ફળ છે.
(૫૭) “ધ્યાનાભ્યાસ સાધક છે ને ધ્યાનસિદ્ધિ સાધ્ય છે.” અખંડ જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લઈ અંતરમાં અભ્યાસ કરવો તે સાધક છે. જ્ઞાનસ્વરૂપ છું-એવી અંતર્મુખ પરિણતિ સાધક છે ને ધ્યાનની સિદ્ધિ થવી તે તેનું ફળ છે.
(૫૮) “સૂત્રતાત્પર્ય સાધક છે ને શાસ્ત્રતાત્પર્ય સાધ્ય છે.” ચાર અનુયોગમાં જે ગાથાએ કહ્યું હોય તેનું તાત્પર્ય એ છે કે આત્મા રાગ ને પરમાણુથી જુદો છે એમ સમજવું. ગમે તે અનુયોગ હો, તેની દરેક ગાથાનો સાર એ છે કે સ્વભાવન્મુખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com