________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
[ શ્રી અનુભવ પ્રકાશ
છે, પણ અહીં પર્યાયથી વાત લેવી છે, માટે અલ્પજ્ઞાન સાધન છે ને જ્ઞાનાદિની ઘણી નિશ્ચયપરિણતિ સાધ્ય છે.
66
(૧૨ ) સમ્યક્ સાધક છે ને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધ્ય છે.” સમકિતી જીવને આત્માનું ભાન થયું છે. મારા જ્ઞાન-દર્શનની પરિણતિ સ્વભાવમાં એકત્વ થાય તો લાભ છે, તેવો સમિતી જીવ સાધક છે. તે પુણ્ય-પાપ સાધતો નથી, નિમિત્તને દૂર કરતો નથી. આત્મા પોતે પોતાના ગુણને સાધે છે માટે સમ્યક્ત્વ સાધક છે ને દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધ્ય છે.
દરેક ગુણ પોતે પોતાને સાધે છે, તે સ્વરૂપને સાધે છે ને આત્માના અનંત ગુણોને સાધવામાં મદદ કરે છે, માટે દરેક ગુણ સાધુ છે. હું જ્ઞાન છે, વિકલ્પ શરીરાદિ મારું સ્વરૂપ નથી. એમ જ્ઞાનગુણ સાધુ છે. દર્શન પોતાની નિર્મળ પર્યાયને સાધે છે, માટે સાધુ છે. આનંદ ગુણ સહજાનંદ સ્વરૂપ છે. એવું ભાન કરેલ છે માટે આનંદગુણ સાધુ છે-આમ અનંતા ગુણો સાધક થઈને પૂર્ણદશાને સાધ્ય કરે છે. આમ અનંતા ગુણોને પ્રતીતિમાં લીધા છે માટે સમ્યક્ત્વ સાધક છે ને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધ્ય છે. ધર્મી જીવનું સાધ્ય પુણ્ય-પાપ નથી. ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી જીવને ભાન છે કે શરીર તે હું નથી, જે રાગ થાય છે તે હું નથી, આમ આત્મસ્વભાવના અવલંબને જે રાગરહિત દશા થાય તેને ધર્મ કહે છે.
દરેક ગુણ યતિ છે. વિકારને જીતે છે માટે યતિ છે. સમકિતે આત્માના બધા ગુણોની નિર્વિકાર પ્રતીતિ કરેલ છે, એમ અનંતા ગુણો યતિ છે. તેવી રીતે અનંતા ગુણો ઋષિ છે. દરેક ગુણ પોતાની ઋદ્ધિ જાળવી રાખે છે ને બીજાની ઋદ્ધિ જાળવવામાં નિમિત્ત છે માટે દરેક ગુણ ઋષિ છે. અનંત ગુણો મુનિ છે. મન-વાણી વિનાના આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સ્વચ્છત્વ, વિભુત્વ, કર્તા, કરણ, સંપ્રદાન વગેરે બધા ગુણો મુનિ છે-પોતે પોતાને પ્રકાશે છે. ગુણને પ્રત્યક્ષ શ્રદ્ધામાં લઈ પ્રગટ કરવા મથે છે, માટે દરેક ગુણને મુનિ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com