________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧૦, શનિ ૧૦-૧-૫૩
૫. -૩૫
આ સાધક–સાધ્યના બોલ ચાલે છે.
(૧૧) પૂર્વની પર્યાયને સાધક ગણીને પછીની પર્યાયને સાધ્ય ગણેલ છે. આત્મા જ્ઞાનસ્વરૂપી, દષ્ટા ને આનંદસ્વરૂપ છે-એમ નિર્ણય કરે ત્યાં નિશ્ચય વધે છે. શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ હું નથી, હું તો જ્ઞાનસ્વભાવી છું, દષ્ટા હું છું, વીર્ય ને શાંતિ હું છું. એમ નિર્ણય કરે કે મારામાં અનંતા ગુણો ભરેલા છે, તો નિશ્ચય વધે. જેમ થોડું અફીણ પીધું હોય ને તેનો અમલ લેવા માટે કેફ ચડાવે છે, એમ મારો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, એમ નિર્ણય કરે ને તેની ખુમારી વધારે તો પોતામાં દઢતા વધે એનું નામ ધર્મ છે.
આત્મા અનંતા ગુણોનું ધામ છે એવી ખુમારી વધારે તો વીતરાગી દશા થાય. તે અંતરદશા સાધ્ય છે. જેને આત્માની ખબર નથી તેની વાત નથી. અહીં કહે છે કે આત્મા અનંતા ગુણોનું ધામ છે. પરમાત્મા આત્મામાંથી થયા છે એવો ભરોસો થોડો કરે તો ખુમારી વધે ને જ્ઞાનાદિ વધે. કોઈ રાગ કે સંયોગથી વધે એમ કહ્યું નથી. સ્વભાવમાં ખુમારી ચડાવતાં આગળ વધાય છે. બાકી તો નિમિત્ત ને રાગ વગેરે તેના કારણે આવે છે તે ધર્મનું કારણ નથી, આટલાં શાસ્ત્ર વાંચીએ કે વ્રત કરીએ તો ધર્મ થાય-એમ તેને સાધન કહ્યું નથી. આત્માનો ભરોસો કરી તેની ભાવનાની ખુમારી ચડાવે તો અંત૨માં રહેલી શક્તિ પ્રગટ થાય ને વીતરાગી પરિણિત વધી જાય. એ સિવાય બીજું સાધન નથી. પરિણતિ દ્રવ્યના આશ્રયે વધે છે તે તો બરાબર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com