________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
[ શ્રી અનુભવ પ્રકાશ થાય, એવો ભાવ ધર્મીને આવ્યા વિના રહેતો નથી. સંસારમાં લગ્ન વખતે પૈસા ખરચે છે તેમ શાસ્ત્રની ભક્તિ માટે મન, વચન, કાયા ને લક્ષ્મી લગાવે તો તેનું મન સ્થિર થાય છે. સંસાર તરફના વલણનો વિકલ્પ તોડી સ્વભાવ તરફ આવી શકે છે. આમ મોક્ષમાર્ગ અને મોક્ષનું સ્વરૂપ વાણીથી સમજાય છે, માટે શાસ્ત્ર ભક્તિ કહી છે.
હવે ગુરુની ભક્તિ કહે છે. નિર્ગથ ગુરુ તે ગુરુ છે. છઠ્ઠીસાતમી ભૂમિકામાં ઝૂલતા હોય છે. આત્માનો અંતર અનુભવ લેતા મુનિઓ વનવાસી હોય છે. મહાન વીતરાગ દશાવાળા હોય છે. તેવા સંતોને દેખી ધર્માત્માને બહુમાન આવ્યા વિના રહેતું નથી. કેવા છે ગુરુ? તેઓ મોક્ષમાર્ગ ઉપદેશે છે. જે ભાવથી બંધન થાય તે ભાવને અશુદ્ધપણે જણાવે, પૂર્ણાનંદ આત્માની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા કરે એવો જ ઉપદેશ ગુરુ કરે. રાગથી ધર્મ મનાવે ને શરીરની ક્રિયાથી ધર્મ મનાવે તે ગુરુ નથી. તે તો મિથ્યાષ્ટિ છે. સાચા ગુરુ કહે છે કે આત્મા પરમાનંદની મૂર્તિ છે. અનંતા ગુણોનો પિંડ છે. એક સમયનો વિકાર છે. વિકાર અને નિમિત્તથી હિતમાનવારૂપ બુદ્ધિ છોડાવી સ્વભાવ બુદ્ધિ કરાવે, સ્થિરતા કરાવે તે ગુરુ કહેવાય છે. વળી તેઓ ઉપશમ રસમાં ઝૂલી રહ્યા છે. ત્રણ કપાય ટળી ગયા છે, આત્મરમણતા વધી ગઈ છે. જેમ ડુંગરામાંથી પાણીના ઝરણાં વહે છે, તેમ ઉપશમ રસકંદરૂપ આત્મામાંથી અકષાયી પરિણતિ વહે છે. એવા મુનિ શાંત અકષાયી મુદ્રા ધારી છે. જેની મુદ્રા જ શાંત દેખાય છે, એવા ભાવલિંગી મુનિની ધર્મજીવ ભક્તિ કરે. મુનિને પરમેષ્ઠી પદ છે. બાર અંગ અને ચૌદ પૂર્વના ધરનાર ધર્મવજીર ગણધરભગવાન પણ નમસ્કાર મંત્રમાં કહે છે કે “નમો લોએ સવ્વ સાહૂણં” હે સંત! તારા ચરણમાં મારો નમસ્કાર હો, એમ મુનિની દશા અક્રિય બિંબરૂપ છે. મુનિની મુદ્રાની વાત છે. જાણે કે સિદ્ધ ઉપરથી ઊતર્યા હોય, તેવી મુનિની વીતરાગી અક્રિય દશા છે. ધર્માજીવ આવા મુનિને તરણ તારણ સ્વીકારે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com