________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૪]
[ ૨૦૭ છે એમ તે માનતો નથી, પણ વીતરાગની ગેરહાજરીમાં “જિનપ્રતિમા જિન સારખી”, માની શુભભાવ કરે છે. ધર્મી તેને પુણ્ય સમજે છે. પોતે આનંદ સ્વરૂપ છે, પુણ્ય-પાપની વૃત્તિથી પાર છે. એમ શ્રદ્ધા કરેલ છે, એવા ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. દેવની આવી ભક્તિ ચોથા, પાંચમા અને છઠ્ઠી ગુણસ્થાનવાળાને થયા વિના રહેતી નથી. આમ દેવની ભક્તિ કહી. સમકિતી જીવ શાસ્ત્રની ભક્તિ કરે છે, તે હવે બતાવે છે.
સર્વજ્ઞના દિવ્યધ્વનિમાં નીકળેલાં શાસ્ત્રો કે જે અવિરોધ વાતને સ્થાપે છે, તેવાં શાસ્ત્રની ભક્તિ કરે, કેમ? પોતાનું સ્વરૂપ ભગવાને કહ્યું છે. તે શાસ્ત્રના નિમિત્તે પમાય છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કોને કહેવાય, ને કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્ર કોને કહેવાય તે બરાબર ઓળખે ને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ઉલ્લાસ આવે. આ વાણી અનેકાન્ત સિદ્ધ કરે છે. જડમાં ચૈતન્ય નથી, આખું દ્રવ્ય એક પર્યાયમાં આવી જતું નથી. રાગની પર્યાય દ્રવ્યમાં નથી એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. એક પર્યાય બીજી પર્યાય રૂપે થતી નથી. આમ શાસ્ત્ર અનેકાન્તનું સ્વરૂપ બતાવે છે જેને ખોટાં શાસ્ત્ર નિમિત્તરૂપે હોય તેને મિથ્યાદર્શન હોય જ છે. ધર્મીને સાચાં શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય છે. શાસ્ત્રના ભણતરથી સંસારનું દુઃખ નાશ પામે છે. સ્વ-પર વિવેકજ્ઞાન સાચા ગ્રંથની પરીક્ષા કરવાથી પ્રગટે છે. ગુરુ સદાય હાજર હોતા નથી ત્યારે શાસ્ત્ર નિમિત્ત હોય છે. આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે, વિકાર ક્ષણિક છે, જડ પર છે, જડનો મારામાં અભાવ છે ને મારો જડમાં અભાવ છે, સ્વભાવનો રાગમાં અભાવ છે. આમ બતાવે તે સાચા શાસ્ત્ર છે. તેને નમસ્કાર કરે, ઉત્સાહ કરે. શાસ્ત્ર હોય ત્યાં કુચેષ્ટા કરે નહિ, હાસ્ય ન કરે પણ તેની ભક્તિ કરે. મોક્ષનો માર્ગ સાચી વાણીથી સમજાય છે. સર્વશની વાણી મોક્ષમાર્ગમાં નિમિત્ત છે. મોક્ષમાર્ગ ને મોક્ષનું સ્વરૂપ વીતરાગની વાણી કહે છે માટે શાસ્ત્રને ઓળખવાં જોઈએ. પૂર્વાપર વિરોધ રહિત વાણી કઈ છે, તે જાણવું જોઈએ. શાસ્ત્ર રત્નના અક્ષરેથી લખે, ચાંદી-સોનાના શાસ્ત્ર બનાવે, જગતમાં કેમ પ્રભાવના
Please inform us of any errors on
[email protected]